૫૦+ કર્મચારીઓ ધરાવતા ઉદ્યોગો માટે ઘોડિયા ઘર, કેન્ટીન ફરજિયાત
૫૦+ કર્મચારીઓ ધરાવતા ઉદ્યોગો માટે ઘોડિયા ઘર, કેન્ટીન ફરજિયાત
Published on: 16th September, 2026

નવા ઓએસએચ કોડ (OSH Code) હેઠળ, ૫૦ થી વધુ કર્મચારીઓ ધરાવતા ઉદ્યોગોમાં ઘોડિયા ઘર (Crèche) રાખવું ફરજિયાત બન્યું છે. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજિત સેમિનારમાં, ઈન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના ડાયરેકટર પીએમ શાહે માહિતી આપી હતી કે ૧૦૦ થી વધુ કર્મચારીઓ માટે કેન્ટીન સુવિધા પણ આવશ્યક છે. ઓવરટાઇમ મર્યાદા ત્રણ મહિનામાં ૭૫ થી ૧૪૪ કલાક કરાઈ છે, અને મહિલા કર્મચારીઓ લેખિત સંમતિથી નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે. વર્ષમાં એક મેડિકલ પરીક્ષણ પણ ફરજિયાત છે.