સુરતમાં UPI ચાર્જ સામે વેપારીઓનો રોષ: ઉદ્યોગપતિઓની લોન માફ, જનતા પર બોજ!
સુરતમાં UPI ચાર્જ સામે વેપારીઓનો રોષ: ઉદ્યોગપતિઓની લોન માફ, જનતા પર બોજ!
Published on: 16th September, 2026

સુરતના કાપડ વેપારીઓ માટે UPI રોજિંદા કારોબારનો મુખ્ય ભાગ બન્યો છે. આવા સમયે નવા ટ્રાન્ઝેક્શન ચાર્જની ચર્ચાએ નાના વેપારીઓની ચિંતા વધારી છે. જો ડિજિટલ પેમેન્ટ પર વધારાનો ખર્ચ લાદવામાં આવશે, તો તેમને ફરીથી રોકડ જેવી ધીમી સિસ્ટમ તરફ વળવું પડશે. એક તરફ મોટા ઉદ્યોગપતિઓની લોન માફ થાય છે અને તેનો બોજ સામાન્ય જનતા પર લાદી દેવાય છે, જ્યારે બીજી તરફ ઓનલાઇન પેમેન્ટની સુવિધા છીનવી લેવામાં આવી રહી છે. આ નિર્ણય મોંઘવારીથી પીસાતી જનતા પર પડતા પર પાટુ સમાન છે.