ટોલ પ્લાઝા થશે ‘લાઈન ફ્રી’, વાહન દોડતું રહેશે અને ટોલ કપાતો જશે
ટોલ પ્લાઝા થશે ‘લાઈન ફ્રી’, વાહન દોડતું રહેશે અને ટોલ કપાતો જશે
Published on: 15th September, 2026

હવે ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂર નહીં પડે. કેન્દ્રિય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ જાહેરાત કરી છે કે, ફાસ્ટેગ સાથે ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી વાહનો ટોલ પ્લાઝા પરથી પસાર થતી વખતે જ નંબર પ્લેટ સ્કેન કરીને આપમેળે ટોલની રકમ કપાઈ જશે. ડિસેમ્બર 2026 સુધીમાં 70% અને માર્ચ 2027 સુધીમાં 100% નેશનલ હાઈવે ટોલ બૂથ બેરિયર ફ્રી બનશે. આ નવી સિસ્ટમ સમય અને ઈંધણ બંને બચાવશે, જેનાથી દર વર્ષે અબજો રૂપિયાનો ફાયદો થશે.