મહારાષ્ટ્રના સૌથી અમીર ધારાસભ્ય પરાગ શાહે કેમ કર્યો ભિખારીનો વેશ?
મહારાષ્ટ્રના સૌથી અમીર ધારાસભ્ય પરાગ શાહે કેમ કર્યો ભિખારીનો વેશ?
Published on: 15th September, 2026

મહારાષ્ટ્રના ઘાટકોપર પૂર્વના ભાજપ ધારાસભ્ય પરાગ શાહ, જે ₹3,400 કરોડથી વધુની સંપત્તી ધરાવે છે, તેમણે એક દિવસ માટે ભિખારીનું જીવન જીવી સમાજની વાસ્તવિકતાને નજીકથી અનુભવી. જૈન ચાતુર્માસ દરમિયાન, તેમના ગુરુ નમ્રમુનિની સલાહ પર, શાહે મેકઅપ કરીને ભિખારીનો વેશ ધારણ કર્યો. આ દરમિયાન, તેઓએ ભિક્ષા માંગીને ભોજન કર્યું અને સામાન્ય માણસની મુશ્કેલીઓનો અનુભવ કર્યો. પોતાની સાચી ઓળખ છુપાવીને તેમણે લોકો સાથે વાતચીત કરી અને બાદમાં પોતાનો અનુભવ શેર કર્યો. આ અનોખો પ્રયાસ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે.