Menu
Punjab Kings ના માલિકે હાર બાદ પણ 1400 કરોડની કમાણી કરી
Punjab Kings ના માલિકે હાર બાદ પણ 1400 કરોડની કમાણી કરી
Published on: 04th June, 2025

IPL 2025ની ફાઈનલમાં RCB સામે પંજાબ કિંગ્સ હાર્યા છતાં, ટીમ અને તેના માલિકોને વધુ નફો થયો છે. પંજાબ કિંગ્સના મુખ્ય માલિકીઓમાં ડાબર ગ્રુપ (48%), નેસ વાડિયા (23%), અને પ્રીતિ ઝિન્ટા (23%) શામેલ છે. મોહિત બર્મન ડાબર ગ્રુપના ચેરમેન છે અને સૌથી મોટા શેરહોલ્ડર છે. IPL ફાઈનલ દરમિયાન ડાબર ગ્રુપના શેરમાં 1.45%નો ઉછાળો થયો અને કંપનીની માર્કેટ કેપ માં 1,427.83 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, જે આ બિઝનેસ માટે મોટી સફળતા છે.