ખેડૂત આંદોલનમાં AAPના જોડાવા પર કોંગ્રેસનો આરોપ: ટ્રેક્ટર રેલી રાજકીય સ્ટંટ?
ખેડૂત આંદોલનમાં AAPના જોડાવા પર કોંગ્રેસનો આરોપ: ટ્રેક્ટર રેલી રાજકીય સ્ટંટ?
Published on: 17th June, 2026

ગુજરાતમાં ખેડૂતોના વીજળીના પ્રશ્ને ચાલી રહેલું આંદોલન હવે રાજકારણનું મેદાન બન્યું છે. ગાંધીનગરમાં 15 જૂનના ઘર્ષણ બાદ કોંગ્રેસ અને AAP વચ્ચે મતભેદ ઊભા થયા છે. ગુજરાત કિસાન કોંગ્રેસે હવે ખેડૂતોના હિત માટેની તમામ લડાઈઓ પોતાના નેતૃત્વ હેઠળ લડવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના મતે, અન્ય પક્ષો સાથે ગઠબંધન કરવાને બદલે સ્વતંત્ર રીતે લડવું વધુ યોગ્ય છે. આથી, કોંગ્રેસે ખેડૂતોને ન્યાય અપાવવા સરકાર સામે આરપારના જંગની જાહેરાત કરી છે.