-
રાષ્ટ્રીય ગણિત દિન (શ્રીનિવાસ રામાનુજન જયંતિ)
રાષ્ટ્રીય ગણિત દિન (શ્રીનિવાસ રામાનુજન જયંતિ)
22nd December
શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગણિત દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈ માં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજન ની 125મી જયંતીના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતાં વર્ષ 2012 ને 'રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજનના જન્મદિવસને 'રાષ્ટ્રીય ગણિત દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતના આ મહાન ગણિતશાસ્ત્રીને સન્માન આપવા 'રાષ્ટ્રીય ગણિત દિન' ઉજવવામાં આવે છે.
શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ચેન્નઈથી 400 કિમી દૂર ઈરોડમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા શ્રીનિવાસ આયંગર અને માતા કોમલ તમ્મલ. તેમને બાળપણથી ગણિતનો શોખ હતો. માત્ર 12 વર્ષની ઉંમરે તેઓ ત્રિકોણમિતિમાં નિપુણ બન્યા. 1904 માં ગણિતમાં વિશેષ યોગદાન બદલ તેમને 'રંગનાથ રાવ' પુરસ્કાર મળ્યો.
તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તે મિત્રો પાસેથી પુસ્તકો ઉછીનાં લઈને વાંચતા હતા. પોતાની નાણાકીય જરૂરિયાતો માટે મદ્રાસ ટ્રસ્ટ પોર્ટ ની ઓફિસમાં તેમણે ક્લાર્ક તરીકે કામ કર્યું. નોકરી દરમિયાન તેઓ ફુરસદના સમયમાં ગણિતના પ્રશ્નો ઉકેલતા હતા. ટૂંકા જીવનકાળ દરમિયાન તેમણે આશરે 3900 જેટલા ગાણિતિક કોયડાના ઉકેલો શોધ્યા હતા. રામાનુજનની વૈશ્વિક પ્રતિભાની ઓળખ કરાવવામાં અંગ્રેજ પ્રો. હાર્ડી નો મોટો ફાળો હતો. રામાનુજનથી પ્રભાવિત થઈને બ્રિટનની રોયલ સોસાયટી એ તેમને વર્ષ 1918 માં ફેલોશિપ આપી. રામાનુજન આ સન્માન મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા. નંબર થિયરી પરના તેમના અદ્દભુત કાર્યને કારણે, તેમને 'સંખ્યાના જાદુગર' કહેવામાં આવે છે. રામાનુજન હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે પ્રો. હાર્ડી તેમને મળવા ગયા. વાતવાતમાં તેમણે કહ્યું, 'હું જે વાહનમાં આવ્યો તેનો નંબર 1729 હતો. બીમારીની કહ્યું, 'અરે! બહુ સરસ નંબર છે. એક માત્ર આંકડો જે બે રીતે બે અલગ અલગ સંખ્યાના ઘનનો સરવાળો છે.
(10×10×10) + (9×9×9)=1729 અને (12×12×12) (1×1×1)=1729 ત્યારથી આ નંબર ગણિતમાં રસ ધરાવનારા માટે અગત્યનો બની ગયો.
રામાનુજનના સંશોધનો મુખ્યત્વે સંખ્યા ગણિત, અપૂર્ણાંકો, પ્રમેયો, વિધેયો વગેરે ક્ષેત્રોમાં હતાં. જ્યારે કમ્પ્યૂટરની શોધ થઈ ત્યારે લાખો દશાંશ સ્થાન સુધીની ગણતરી માટે રામાનુજનનાં જ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રામાનુજને કોઈ મદદ વિના હજારો ગાણિતિક પરિણામોનાં સૂત્રોને સમીકરણોનાં સ્વરૂપે સંકલિત કર્યા. જેમાં ઘણાં મૌલિક હતાં, જેમ કે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થીટા ફંક્શન, વિભાજન સૂત્ર અને મોક થીટા ફંક્શન વગેરે. તેઓએ ડાઈવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ Riemann series, the elliptic integrals, hyper geometric series and Jeta Functionના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. મૃત્યુ પહેલાં પણ માંદગી હોવા છતાં તેઓ ગણિતમાં જ ખૂંપેલા રહ્યા. તે સમયે તેમણે q-series પર કામ કર્યું પણ તેની બહુ મોડેથી ખબર પડી. તેમની એ નોટબુક અચાનક જ મળી અને એનું સંકલન અલગ Lost Notebook ને નામે કરવામાં આવ્યું છે. તેમણે રજૂ કરેલ રહસ્યમય ડેથબેડ થિયરી તેમનાં મૃત્યુનાં 100 વર્ષ બાદ સાચી પડી છે. જેનો ઉપયોગ બ્લેક હોલની થિયરી સમજવા માટે કરવામાં આવ્યો છે. 26 એપ્રિલ, 1920 ના રોજ માત્ર 33 વર્ષ ની વયે કુમ્બનમ ખાતે તેમનું અવસાન થયું હતું.
આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતાના વિકાસ માટે ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની યુવા પેઢીને ગણિત શીખવા માટે પ્રોત્સાહિત કરવા, ઉત્સાહિત કરવા અને તેમનામાં સકારાત્મક વલણ કેળવવા માટે પહેલ કરવામાં આવે છે. આ દિવસે શિબિરો દ્વારા ગણિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવે છે. ગણિત અને સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન માટે શિક્ષણ-પ્રશિક્ષણ સામગ્રી (TLM) ના વિકાસ, ઉત્પાદન અને પ્રસારને પ્રકાશિત કરવામાં આવે છે.
રાષ્ટ્રીય ગણિત દિન (શ્રીનિવાસ રામાનુજન જયંતિ)
22nd December
શ્રીનિવાસ રામાનુજન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. ગણિતના ક્ષેત્રમાં અજોડ યોગદાન હોવાથી તેમની યાદમાં ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બર ના રોજ 'રાષ્ટ્રીય ગણિત દિન'ની ઉજવણી કરવામાં આવે છે. 22 ડિસેમ્બર, 2012 ના રોજ ચેન્નઈ માં યોજાયેલ શ્રીનિવાસ રામાનુજન ની 125મી જયંતીના દિવસે આયોજિત કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપતાં વર્ષ 2012 ને 'રાષ્ટ્રીય ગણિત વર્ષ તેમજ શ્રી રામાનુજનના જન્મદિવસને 'રાષ્ટ્રીય ગણિત દિન' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 22 ડિસેમ્બરે ભારતના આ મહાન ગણિતશાસ્ત્રીને સન્માન આપવા 'રાષ્ટ્રીય ગણિત દિન' ઉજવવામાં આવે છે.
શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ચેન્નઈથી 400 કિમી દૂર ઈરોડમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા શ્રીનિવાસ આયંગર અને માતા કોમલ તમ્મલ. તેમને બાળપણથી ગણિતનો શોખ હતો. માત્ર 12 વર્ષની ઉંમરે તેઓ ત્રિકોણમિતિમાં નિપુણ બન્યા. 1904 માં ગણિતમાં વિશેષ યોગદાન બદલ તેમને 'રંગનાથ રાવ' પુરસ્કાર મળ્યો.
તેમનું બાળપણ ગરીબીમાં વીત્યું હતું. તે મિત્રો પાસેથી પુસ્તકો ઉછીનાં લઈને વાંચતા હતા. પોતાની નાણાકીય જરૂરિયાતો માટે મદ્રાસ ટ્રસ્ટ પોર્ટ ની ઓફિસમાં તેમણે ક્લાર્ક તરીકે કામ કર્યું. નોકરી દરમિયાન તેઓ ફુરસદના સમયમાં ગણિતના પ્રશ્નો ઉકેલતા હતા. ટૂંકા જીવનકાળ દરમિયાન તેમણે આશરે 3900 જેટલા ગાણિતિક કોયડાના ઉકેલો શોધ્યા હતા. રામાનુજનની વૈશ્વિક પ્રતિભાની ઓળખ કરાવવામાં અંગ્રેજ પ્રો. હાર્ડી નો મોટો ફાળો હતો. રામાનુજનથી પ્રભાવિત થઈને બ્રિટનની રોયલ સોસાયટી એ તેમને વર્ષ 1918 માં ફેલોશિપ આપી. રામાનુજન આ સન્માન મેળવનાર એશિયાના પ્રથમ વ્યક્તિ હતા. નંબર થિયરી પરના તેમના અદ્દભુત કાર્યને કારણે, તેમને 'સંખ્યાના જાદુગર' કહેવામાં આવે છે. રામાનુજન હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યારે પ્રો. હાર્ડી તેમને મળવા ગયા. વાતવાતમાં તેમણે કહ્યું, 'હું જે વાહનમાં આવ્યો તેનો નંબર 1729 હતો. બીમારીની કહ્યું, 'અરે! બહુ સરસ નંબર છે. એક માત્ર આંકડો જે બે રીતે બે અલગ અલગ સંખ્યાના ઘનનો સરવાળો છે.
(10×10×10) + (9×9×9)=1729 અને (12×12×12) (1×1×1)=1729 ત્યારથી આ નંબર ગણિતમાં રસ ધરાવનારા માટે અગત્યનો બની ગયો.
રામાનુજનના સંશોધનો મુખ્યત્વે સંખ્યા ગણિત, અપૂર્ણાંકો, પ્રમેયો, વિધેયો વગેરે ક્ષેત્રોમાં હતાં. જ્યારે કમ્પ્યૂટરની શોધ થઈ ત્યારે લાખો દશાંશ સ્થાન સુધીની ગણતરી માટે રામાનુજનનાં જ સૂત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રામાનુજને કોઈ મદદ વિના હજારો ગાણિતિક પરિણામોનાં સૂત્રોને સમીકરણોનાં સ્વરૂપે સંકલિત કર્યા. જેમાં ઘણાં મૌલિક હતાં, જેમ કે રામાનુજન પ્રાઈમ, રામાનુજન થીટા ફંક્શન, વિભાજન સૂત્ર અને મોક થીટા ફંક્શન વગેરે. તેઓએ ડાઈવરજેન્ટ સિરીઝ પર પોતાનો સિદ્ધાંત પણ આપ્યો. એ સિવાય તેઓએ Riemann series, the elliptic integrals, hyper geometric series and Jeta Functionના કાર્યાત્મક સમીકરણો પર કામ કર્યું. મૃત્યુ પહેલાં પણ માંદગી હોવા છતાં તેઓ ગણિતમાં જ ખૂંપેલા રહ્યા. તે સમયે તેમણે q-series પર કામ કર્યું પણ તેની બહુ મોડેથી ખબર પડી. તેમની એ નોટબુક અચાનક જ મળી અને એનું સંકલન અલગ Lost Notebook ને નામે કરવામાં આવ્યું છે. તેમણે રજૂ કરેલ રહસ્યમય ડેથબેડ થિયરી તેમનાં મૃત્યુનાં 100 વર્ષ બાદ સાચી પડી છે. જેનો ઉપયોગ બ્લેક હોલની થિયરી સમજવા માટે કરવામાં આવ્યો છે. 26 એપ્રિલ, 1920 ના રોજ માત્ર 33 વર્ષ ની વયે કુમ્બનમ ખાતે તેમનું અવસાન થયું હતું.
આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય માનવતાના વિકાસ માટે ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. દેશની યુવા પેઢીને ગણિત શીખવા માટે પ્રોત્સાહિત કરવા, ઉત્સાહિત કરવા અને તેમનામાં સકારાત્મક વલણ કેળવવા માટે પહેલ કરવામાં આવે છે. આ દિવસે શિબિરો દ્વારા ગણિતના શિક્ષકો અને વિદ્યાર્થીઓને તાલીમ પણ આપવામાં આવે છે. ગણિત અને સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન માટે શિક્ષણ-પ્રશિક્ષણ સામગ્રી (TLM) ના વિકાસ, ઉત્પાદન અને પ્રસારને પ્રકાશિત કરવામાં આવે છે.