-
મહાદેવ ગોવિંદ રાનડે જન્મજયંતી
મહાદેવ ગોવિંદ રાનડે જન્મજયંતી
પ્રખર ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ ૧૮ જાન્યુઆરી,૧૮૪૨ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામે થયો હતો. સ્નાતક થયા બાદ કાયદાનું ક્ષેત્ર પસંદ કર્યું. કૉલેજમાં અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે નીમાયા અને ત્યારપછી મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ. 'હિંદી રાષ્ટ્રીય મહાસભા' ની સ્થાપનામાં તેઓ અગ્રણી હતા. તેમનો 'મરાઠા સત્તાનો ઉદય' ગ્રંથ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે પૂના જ રહ્યું હતું.
વ્યાખ્યાનમાળા, ઔધિગિક પ્રદર્શન, પ્રાર્થના સમાજ જેવી અનેક સંસ્થાઓના તેઓ સ્થાપક હતા. 'વિધવા વિવાહ ઉત્તેજકમંડળ'ના તેઓ સક્રીય સભ્ય હતા. ૨૨ વર્ષના લગ્નજીવન પછી તેમના પત્ની ક્ષયથી અવસાન પામતાં બીજીવાર લગ્ન પણ કરેલા. આપણાં ભારતીય સમાજમાં પેસી ગયેલાં અનેક કુરિવાજો, જેવા કે વિધવા વિવાહ પર પ્રતિબંધ, સ્ત્રીઓની અવનત દશા, અસ્પૃશ્યતાનું કલંક, બાળલગ્ન વગેરેમાં ફસાયેલી પ્રજાને જાગૃત કરી જીવનભર સમાજ સુધારાના પાયાનું મૂલ્યવાન કાર્ય કર્યું.
હિન્દી, અર્થશાસ્ત્ર અને સમાજ સુધારણા પરનાં તેમના લખાણોએ રાષ્ટ્રીય વિચારધારાને ખૂબ બળ પૂરું પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ સમયે ખેડૂતોની આર્થિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું. બ્રિટિશ સરકારે તેમને ફાઇનાન્સ કમિટીમાં પણ સમાવ્યા હતા. ૧૬ જાન્યુઆરી,૧૯૦૧ ના રોજ સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડેનું પુણેમાં અવસાન થયું. "To dare to will execute and to be silent." એ તેમના જીવનનો મંત્ર હતો.
મહાદેવ ગોવિંદ રાનડે જન્મજયંતી
પ્રખર ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડેનો જન્મ ૧૮ જાન્યુઆરી,૧૮૪૨ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના નિફાડ ગામે થયો હતો. સ્નાતક થયા બાદ કાયદાનું ક્ષેત્ર પસંદ કર્યું. કૉલેજમાં અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપક તરીકે નીમાયા અને ત્યારપછી મુંબઇ હાઇકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ. 'હિંદી રાષ્ટ્રીય મહાસભા' ની સ્થાપનામાં તેઓ અગ્રણી હતા. તેમનો 'મરાઠા સત્તાનો ઉદય' ગ્રંથ ખૂબ પ્રમાણભૂત ગણાય છે. તેમનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે પૂના જ રહ્યું હતું.
વ્યાખ્યાનમાળા, ઔધિગિક પ્રદર્શન, પ્રાર્થના સમાજ જેવી અનેક સંસ્થાઓના તેઓ સ્થાપક હતા. 'વિધવા વિવાહ ઉત્તેજકમંડળ'ના તેઓ સક્રીય સભ્ય હતા. ૨૨ વર્ષના લગ્નજીવન પછી તેમના પત્ની ક્ષયથી અવસાન પામતાં બીજીવાર લગ્ન પણ કરેલા. આપણાં ભારતીય સમાજમાં પેસી ગયેલાં અનેક કુરિવાજો, જેવા કે વિધવા વિવાહ પર પ્રતિબંધ, સ્ત્રીઓની અવનત દશા, અસ્પૃશ્યતાનું કલંક, બાળલગ્ન વગેરેમાં ફસાયેલી પ્રજાને જાગૃત કરી જીવનભર સમાજ સુધારાના પાયાનું મૂલ્યવાન કાર્ય કર્યું.
હિન્દી, અર્થશાસ્ત્ર અને સમાજ સુધારણા પરનાં તેમના લખાણોએ રાષ્ટ્રીય વિચારધારાને ખૂબ બળ પૂરું પાડ્યું હતું. મહારાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ સમયે ખેડૂતોની આર્થિક સ્થિતિનું નિરીક્ષણ કર્યું. બ્રિટિશ સરકારે તેમને ફાઇનાન્સ કમિટીમાં પણ સમાવ્યા હતા. ૧૬ જાન્યુઆરી,૧૯૦૧ ના રોજ સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડેનું પુણેમાં અવસાન થયું. "To dare to will execute and to be silent." એ તેમના જીવનનો મંત્ર હતો.