ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, કુલ 938 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા
ગુજરાતની 26 એપ્રિલ, 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 938 ફોર્મ પરત ખેંચાયા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ શનિવારે હતો. જો કે, વિવિધ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોના નામ છેલ્લી ઘડી સુધી જાહેર કરાયા ન હતા. આ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે તેમજ ડાયરેક્ટ મેન્ડેટ આપેલા ઉમેદવારો આખરી દિવસે ફોર્મ ભરવા આવતા રાજ્યભરની કચેરીઓમાં ભારે ભીડ પણ જામી હતી, તો ક્યાંક વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ખેંચતાણના ફિલ્મી દૃશ્યો પણ સર્જાયા હાત. આ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 15 એપ્રિલ અને સમય બપોરે 3 વાગ્યા સુધીનો હતો.
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, કુલ 938 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા
સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી
સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ એક ગંભીર ક્ષતિને કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયું છે. શહેરના વૉર્ડ નંબર 14મા ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલા ચૂંટણી કાર્યાલય પર 'સામાન્ય ચૂંટણી'ના બદલે 'પેટા ચૂંટણી કાર્યાલય' લખવામાં આવતા વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા પર મજાક ઉડાવી રહ્યા છે. PM નરેન્દ્ર મોદી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓના ફોટા સાથે આ કાર્યાલયનું ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સ્થાનિક એકમની ચૂંટણીમાં પેટા ચૂંટણીના બોર્ડ માર્યા, સોશિયલ મીડિયા પર મજાક ઊડી
AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા.
AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને પાર્ટી હાઈકમાન્ડ વચ્ચેના સંબંધોમાં પડેલી તિરાડ હવે સપાટી પર આવી ગઈ છે. પંજાબની ભગવંત માન સરકારે રાઘવ ચઢ્ઢાની Z+ સુરક્ષા પાછી ખેંચી લેતા રાજકારણ ગરમાયું છે. જોકે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને રાઘવ ચઢ્ઢાને Z શ્રેણીની સુરક્ષા આપી છે. આ સુરક્ષા વ્યવસ્થા હેઠળ અર્ધલશ્કરી દળોના જવાનો તેમની સાથે રહેશે. મહત્વનું છે કે, આ સુરક્ષા તેમને દિલ્હી અને પંજાબ બંને સ્થળોએ ઉપલબ્ધ થશે. જ્યાં સુધી સુરક્ષાની ઔપચારિકતાઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી દિલ્હી પોલીસને તાત્કાલિક સુરક્ષા આપવા સૂચના અપાઈ છે.
AAP સરકારે છીનવી તો કેન્દ્રએ પાછી આપી, રાઘવ ચઢ્ઢાને ફરી મળી Z+ કેટેગરીની સુરક્ષા.
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે EVM ફાળવણી.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 માટે EVMની ફાળવણી બહુમાળી ભવન ખાતેના સ્ટ્રોંગ રૂમથી કરવામાં આવી. આ ફાળવણી સુરક્ષા સાથે થઇ અને EVM મશીનો પોલીસ બંદોબસ્ત હેઠળ મોકલવામાં આવ્યા. 15% વધારાના રિઝર્વ EVM ફાળવાયા. ઉમેદવારી પત્રો ખેંચાયા બાદ મતપત્રોની છપામણી અને EVM પ્રિપેરેશનની તૈયારીઓ થશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ન્યાયી ચૂંટણી યોજવા પગલાં લેવાઈ રહ્યા છે.
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે EVM ફાળવણી.
કોંગ્રેસ ઉમેદવાર ખરીદવાનો પ્રયાસ: ભાજપના ઉમેદવારે 25-50 લાખની ઓફર કરી.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, BJP ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે લાંચ આપવાનો આક્ષેપ છે. અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર બિનાબેન મોદીએ BJPના ઉમેદવાર મૌલિક પટેલે ફોર્મ પાછું ખેંચી લેવા માટે 25 થી 50 લાખ રૂપિયાની ઓફર કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ મૌલિક પટેલે આ વાતનો ઇન્કાર કર્યો છે.
કોંગ્રેસ ઉમેદવાર ખરીદવાનો પ્રયાસ: ભાજપના ઉમેદવારે 25-50 લાખની ઓફર કરી.
AAPને જગ્યા આપી તો દુકાનો તોડી પાડીશું.
સુરતમાં AAP ઉમેદવાર પાયલ સાકરિયાનો ભાજપ પર ગંભીર આરોપ: કાર્યકરોને ખરીદવાનો પ્રયાસ અને ધમકીઓ અપાઈ રહી છે. ભાજપના શાસનમાં વિકાસ થયો નથી, AAPએ 5 વર્ષમાં કામો કર્યા. કાર્યાલય માટે જગ્યા આપનારને ભાજપ દ્વારા ધમકીઓ અપાય છે કે દુકાન તોડી નાખશું. ચૂંટણીમાં જનતા ભાજપની ગુંડાગર્દીનો જવાબ આપશે. અમે રાજનીતિ બદલવા આવ્યા છીએ અને કામની રાજનીતિ કરીશું.
AAPને જગ્યા આપી તો દુકાનો તોડી પાડીશું.
ગુજરાતનો રાજકીય નકશો બદલાશે: 39 સાંસદ અને 273 ધારાસભ્યોની શક્યતા, કેન્દ્રના બે નિર્ણયોની અસર થશે.
Women Reservation Bill અને નવા પરિસીમનથી ગુજરાતનો રાજકીય નકશો બદલાશે. લોકસભાની બેઠકો 26થી 39 અને વિધાનસભાની બેઠકો 182થી 273 થવાની સંભાવના છે. આ ફેરફારોને લીધે કેટલીક જૂની બેઠકો રદ થશે અને નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. બેઠકોના વિસ્તારોમાં પણ મોટા ફેરફારો થશે.
ગુજરાતનો રાજકીય નકશો બદલાશે: 39 સાંસદ અને 273 ધારાસભ્યોની શક્યતા, કેન્દ્રના બે નિર્ણયોની અસર થશે.
સમ્રાટ ચૌધરી આજે CM પદના શપથ લેશે; BJPને બિહારના પ્રથમ CM મળશે.
સમ્રાટ ચૌધરી આજે બિહારના નવા CM તરીકે શપથ લેશે. લોકભવનના જર્મન હેંગરમાં શપથ ગ્રહણ સમારોહ સવારે 11 વાગ્યાથી શરૂ થશે. JDU ધારાસભ્ય વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવ ડેપ્યુટી CM તરીકે શપથ લેશે. સમ્રાટના શપથ સાથે જ બિહારમાં BJPના નેતૃત્વવાળી આ પહેલી સરકાર હશે. આ પરિસ્થિતિ નીતિશ કુમારના રાજીનામા પછી બની છે. NDAની બેઠકમાં સમ્રાટે નીતિશના પગ સ્પર્શ્યા હતા.
સમ્રાટ ચૌધરી આજે CM પદના શપથ લેશે; BJPને બિહારના પ્રથમ CM મળશે.
ચૂંટણીમાં 14થી વધુ ઉમેદવાર હોય તો 2 EVM મુકવા પડશે.
ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ; 14થી વધુ ઉમેદવાર થવાની શક્યતા. એક EVMમાં NOTA સહિત 16 બટન હોય છે. ઉમેદવાર વધશે તો તંત્રની કસરત વધશે. મહાનગરપાલિકા સહિતની ચૂંટણીમાં એક વોર્ડમાં 14થી વધુ ઉમેદવારો માટે બે EVM મુકાશે. મોટાભાગની ચૂંટણીમાં એક EVM વપરાય છે, પણ ઉમેદવાર વધે તો બે મુકાય છે.
ચૂંટણીમાં 14થી વધુ ઉમેદવાર હોય તો 2 EVM મુકવા પડશે.
મોદીએ મમતાને પૂછ્યું કે શું તેઓ PM બનવા માંગે છે કે CM?
પશ્ચિમ બંગાળની ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું છે. PM મોદીએ કહ્યું કે તેઓ બંગાળની દરેક બેઠક પર ઉમેદવાર છે. મમતા બેનર્જીએ ટીખળ કરતા પૂછ્યું શું તેઓ બંગાળના CM બનવા માંગે છે કે PM રહેવું છે? મમતાએ વધુમાં જણાવ્યું કે જો તેઓ તમામ ૨૯૪ બેઠકો પર ભાજપના ઉમેદવાર છે તો તેમણે PM તરીકે રાજીનામું આપવું જોઈએ.
મોદીએ મમતાને પૂછ્યું કે શું તેઓ PM બનવા માંગે છે કે CM?
પાલિકા-પંચાયતની 10 હજાર બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ.
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા અને પંચાયતની લગભગ 10 હજાર બેઠકો માટે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. કોંગ્રેસે કોઈ પણ 'ખેલ' કે પક્ષાંતર ટાળવા ઉમેદવારોને ગુપ્ત સ્થળે ખસેડ્યા છે. ભાજપ વધુ બેઠકો બિનહરીફ કરવાના પ્રયાસમાં છે, જ્યારે કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય છે. ભાજપ 20-30 લાખની લાલચ આપી ઉમેદવારોને ખરીદવાનો પ્રયાસ કરી રહી હોવાનો કોંગ્રેસનો આરોપ છે.
પાલિકા-પંચાયતની 10 હજાર બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ.
વોર્ડ નં.2માં રસ્તા, ગટર, પાણીની સમસ્યાથી રોષ: ચાર દિવસે અનિયમિત પાણી અને સફાઈના અભાવથી લોકો પરેશાન.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.2માં રસ્તા, ગટર, પાણી અને સફાઈની સમસ્યાઓથી લોકો ત્રસ્ત છે. પાણી ચાર દિવસે આવે છે, જેનો સમય ફિક્સ નથી. ગટર સાફ કરવા કોઈ આવતું નથી, લોકો જાતે સાફ કરે છે. વેરો ભરવા છતાં સુવિધાઓ મળતી નથી. સ્થાનિકો RCC ROADની માંગ કરી રહ્યા છે અને સમસ્યા નિવારણ ન થાય તો વોટ નહીં આપવાની ચીમકી આપી રહ્યા છે. આ વખતે ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે જંગ છે.
વોર્ડ નં.2માં રસ્તા, ગટર, પાણીની સમસ્યાથી રોષ: ચાર દિવસે અનિયમિત પાણી અને સફાઈના અભાવથી લોકો પરેશાન.
કરોડોના ફ્લેટ પાસે કચરો: મતદારોની ફરિયાદ, 'ચૂંટણી ટાણે જ લાઇન, પછી કોઇ નહીં'.
આગામી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં દિવ્યભાસ્કર ટીમ દ્વારા રાજકોટના વોર્ડ નંબર 4 (પૂર્વ મેયરનો વિસ્તાર) ની મુલાકાત લેવામાં આવી. જ્યાં કરોડોના ફ્લેટ-બંગલાની આજુબાજુ કચરાના ઢગલા જોવા મળ્યા. સ્થાનિકોએ સફાઈ અને પાણીની સમસ્યાઓ વર્ણવી, અને ચૂંટણી સમયે મત માગવા આવ્યા પછી નેતાઓ ડોકાતા પણ નથી, તેવી ફરિયાદ કરી. રોડ-રસ્તા અને અન્ય સુવિધાઓનો અભાવ હોવાની વાત પણ કરી હતી. લોકોએ અધિકારીઓ અને કોર્પોરેટરોની નિષ્ક્રિયતા બદલ આક્રોશ વ્યક્ત કર્યો.
કરોડોના ફ્લેટ પાસે કચરો: મતદારોની ફરિયાદ, 'ચૂંટણી ટાણે જ લાઇન, પછી કોઇ નહીં'.
નવસારી વોર્ડ 1: ભાજપ ગઢ બચાવવા સજ્જ, કોંગ્રેસ પ્રદૂષણ અને મોંઘવારી મુદ્દે મેદાનમાં.
નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ચૂંટણી જંગ જામ્યો છે. BJP પોતાના વિકાસ કાર્યો સાથે અને કોંગ્રેસ પ્રદૂષણ તથા મોંઘવારી જેવા મુદ્દાઓ સાથે મેદાનમાં ઉતરી છે. આ વોર્ડમાં કુલ 14,592 મતદારો છે, જેમાં પાટીદાર, કોળી પટેલ, આદિવાસી અને અનાવિલ જ્ઞાતિના સમીકરણો મહત્વપૂર્ણ છે. જુની અને નવી સોસાયટીઓ ધરાવતા આ વિસ્તારમાં વિકાસના દાવા અને ભ્રષ્ટાચારની આશંકાઓ વચ્ચે જનતા કોને પસંદ કરે છે તે જોવાનું રહ્યું.
નવસારી વોર્ડ 1: ભાજપ ગઢ બચાવવા સજ્જ, કોંગ્રેસ પ્રદૂષણ અને મોંઘવારી મુદ્દે મેદાનમાં.
નોવો નોર્ડિસ્ક દવા સંશોધનથી સપ્લાય ચેઈનમાં AI ક્રાંતિ લાવશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નોવો નોર્ડિસ્કના દવા સંશોધન, ઉત્પાદન અને કોમર્શિયલ ઓપરેશનમાં ક્રાંતિ લાવશે. OpenAI સાથે મળીને, કંપની ડેટા વિશ્લેષણ, નવી દવાની શોધ અને ઉત્પાદનને વધુ કાર્યક્ષમ બનાવવા AIનો ઉપયોગ કરશે. વજન ઘટાડવાની દવા બનાવતી યુરોપની આ અગ્રણી કંપની દવાના સંશોધનથી લઈને ઉત્પાદન સુધી AIના ઉપયોગથી કામગીરી સુધારશે. AI દવાના ઉત્પાદનને ઝડપી બનાવશે.
નોવો નોર્ડિસ્ક દવા સંશોધનથી સપ્લાય ચેઈનમાં AI ક્રાંતિ લાવશે.
મોરબીના વોર્ડ-6માં BJP નેતાઓ માટે પ્રવેશબંધી.
મોરબીમાં BJPના જૂના કાર્યકરોને ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી, જેના કારણે વોર્ડ-6ના લોકોએ નિષ્ક્રિય નેતાઓ સામે રોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોએ "અમારા વિસ્તારમાં ચૂંટણી પ્રચાર માટે આવવું નહીં" એવા બેનર લગાવીને BJP નેતાઓ માટે જાહેરમાં પ્રવેશબંધી ફરમાવી છે. આ ઘટના મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં ચર્ચાનો વિષય બની છે.
મોરબીના વોર્ડ-6માં BJP નેતાઓ માટે પ્રવેશબંધી.
લોકસભાની બેઠકો 850 થશે, જેમાં મહિલાઓ માટે 273 અનામત રહેશે.
મહિલા અનામત લાગુ થયા બાદ લોકસભામાં સાંસદોની સંખ્યા 850 થશે, જેમાં 273 બેઠકો અનામત રહેશે. રાજ્યોમાં લોકસભાની બેઠકોની સંખ્યા વધીને 815 અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 35 બેઠકો રહેશે. વિશેષ સત્રમાં સુધારા બિલ રજુ થશે જેમાં લોકસભાની સીટો વધારવા અને નવા સીમાંકનનો પ્રસ્તાવ છે. મહિલાઓને લોકસભામાં 33 ટકા અનામત આપવામાં આવશે. વસતી મુજબ ફાળવણીથી ફેરફાર શક્ય છે.
લોકસભાની બેઠકો 850 થશે, જેમાં મહિલાઓ માટે 273 અનામત રહેશે.
રાજકોટ ચૂંટણી: 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયાં.
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને Policeએ અત્યાર સુધીમાં 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લીધા છે. દરેક Police સ્ટેશનમાં કામગીરી ચાલુ છે. અગાઉ આરોપીઓ સામે બીએનએસની કલમ ૧૨૬, ૧૭૦, ૧૩૫, ૧૨૮, ૧૨૫ અને પ્રોહીબિશનની કલમ ૯૩ હેઠળ કાર્યવાહી થઈ રહી છે. 3039માંથી 2616 પરવાનાવાળા હથિયારો જમા લેવાયા. પેરોલ-ફર્લો જમ્પ કરનારા અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે.
રાજકોટ ચૂંટણી: 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયાં.
ભાજપનું Social Media હવે Professionalsના હાથમાં.
ગુજરાત ભાજપના Social Media સેલની નબળી કામગીરી બાદ, દિલ્હીથી Professionalsની ટીમ આવી છે. આ ટીમ ચૂંટણીમાં પ્રચાર કરશે, યુવાઓને આકર્ષશે, અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચે War Roomમાં સ્ટ્રેટેજી બનશે. એક ગુજરાતી કંપની આ માટે 5-10 કરોડનો ખર્ચ ઉઠાવશે, પરંતુ કન્ટેન્ટમાં હસ્તક્ષેપ નહીં કરે. આ ટીમ વિપક્ષી નેતાઓના મીમ અને કોમેડી વિડીયો પણ બનાવશે.
ભાજપનું Social Media હવે Professionalsના હાથમાં.
ગોધરા પાલિકાના અપક્ષ ઉમેદવારો મોબાઇલ બંધ કરીને ભૂગર્ભમાં.
ગોધરા નગર પાલિકાની ચુંટણીમાં 186 ફોર્મ ભરાયા, જેમાં 42 અમાન્ય થયા. Congressના 3 અને AAPના 1 ફોર્મ રદ થયા. હરીફ ઉમેદવારોને ફોર્મ ખેંચવા બેઠકો ચાલી રહી છે. અપક્ષ ઉમેદવારો 'underground' થઈ ગયા, ફોન બંધ છે. 3 જેટલા ઉમેદવાર બીનહરીફ થવાની શક્યતા. શામ, દામ, દંડની નીતિઓ ચાલુ થઈ.
ગોધરા પાલિકાના અપક્ષ ઉમેદવારો મોબાઇલ બંધ કરીને ભૂગર્ભમાં.
પાટણ પાલિકા વોર્ડ-5ના BJPના રીટા પટેલ પાસે સૌથી વધુ રૂ. 64 લાખનું 466 ગ્રામ સોનું.
પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં BJPના ઉમેદવારોની સંપત્તિનું એનાલિસિસ કરતા રસપ્રદ બાબતો સામે આવી છે. આ વખતે 11 વોર્ડના 44 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાં IT, Civil Engineer, ડોક્ટરો, બિલ્ડરો, વકીલો અને ધોરણ 2 પાસથી PHD સુધીના ઉમેદવારો છે. સામાન્ય શાકભાજી અને ભંગારનો ધંધો કરતા ઉમેદવારથી લઈને કરોડોની જંગમ મિલકત ધરાવતા ધનાઢ્ય લોકો પણ મેદાનમાં છે. મહિલાઓમાં ડૉક્ટર અને વકીલો પણ છે. વોર્ડ-5ના રીટા પટેલ પાસે 466 ગ્રામ સોનું છે.
પાટણ પાલિકા વોર્ડ-5ના BJPના રીટા પટેલ પાસે સૌથી વધુ રૂ. 64 લાખનું 466 ગ્રામ સોનું.
BJP માં ભળી જવાના ડરથી કોંગ્રેસના 30 ઉમેદવારો અજ્ઞાતવાસમાં.
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં BJP દ્વારા કથિત દબાણને કારણે કોંગ્રેસના 30 ઉમેદવારોને રાજસ્થાન ખસેડાયા. BJP કોંગ્રેસના ઉમેદવારોને તોડવા માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવતી હોવાનો કોંગ્રેસનો આરોપ. કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશીએ આ બાબતે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. જ્યારે BJP શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલે કોંગ્રેસને તેના ઉમેદવારો પર વિશ્વાસ ન હોવાનું જણાવ્યું.
BJP માં ભળી જવાના ડરથી કોંગ્રેસના 30 ઉમેદવારો અજ્ઞાતવાસમાં.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોનું બેંક બેલેન્સ 5 વર્ષમાં રૂ. 13 હજારથી વધીને 45 લાખ થયું.
સુરેન્દ્રનગર મનપા ચૂંટણી: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોની એફિડેવિટ મુજબ સ્થાવર મિલકતોમાં લાખોનો વધારો થયો છે. અમુક ઉમેદવારોની લોન વધી છે, પણ બેંક સેવિંગ 13 હજારથી 45 લાખ સુધી વધ્યું છે. મહિલા ઉમેદવારોના દાગીના પણ વધ્યા છે. સંપત્તિ સાથે લોનમાં પણ વધારો થયો છે. આ આંકડાઓ મતદારોમાં ચર્ચાનો વિષય બન્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ સમૃદ્ધિની અસર મતદાન પર કેવી પડે છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારોનું બેંક બેલેન્સ 5 વર્ષમાં રૂ. 13 હજારથી વધીને 45 લાખ થયું.
પોરબંદર ભાજપના ઉમેદવારોની સંપત્તિ: વિક્રમ ઓડેદરા પાસે 19.94 કરોડ અને રાજેશ લોઢારી પાસે રૂ.10 હજાર રોકડા.
પોરબંદર મનપા ચૂંટણીના ભાજપના 52 ઉમેદવારોમાં 4 કરોડપતિ છે. વિક્રમ ઓડેદરા પાસે રૂ.19.94 કરોડની સંપત્તિ, રાજેશ લોઢારી પાસે રૂ.10 હજાર રોકડા છે. એક ઉમેદવાર 4 ધોરણ પાસ અને 2 પર ગુન્હા નોંધાયેલા છે. વોર્ડ નંબર 2 ના મહિલા ઉમેદવાર ઓછા ભણેલા છે. વોર્ડ નંબર 11 ના ઉમેદવાર વનરાજ પરબતભાઇ કેશવાલા પર 2 ગુન્હા નોંધાયેલ છે.
પોરબંદર ભાજપના ઉમેદવારોની સંપત્તિ: વિક્રમ ઓડેદરા પાસે 19.94 કરોડ અને રાજેશ લોઢારી પાસે રૂ.10 હજાર રોકડા.
ભાજપના પૂર્વ MLA કેસરીસિંહે કોંગ્રેસમાં જોડાઈને ભગવો ત્યજ્યો.
માતરના પૂર્વ MLA કેસરીસિંહ સોલંકીએ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે કોંગ્રેસ ખેસ ધારણ કર્યો. કેસરીસિંહને ભાજપે પક્ષવિરોધી પ્રવૃત્તિઓના લીધે સસ્પેન્ડ કર્યા હતા. 2012માં તેઓ ભાજપમાં જોડાયા હતા. હવે કોંગ્રેસ માટે માતર વિધાનસભામાં જીત અપાવવા કાર્ય કરશે અને મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરશે. કેસરીસિંહ આગામી વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી માતર બેઠક પર લડશે.
ભાજપના પૂર્વ MLA કેસરીસિંહે કોંગ્રેસમાં જોડાઈને ભગવો ત્યજ્યો.
વાસણ બેઠકના AAP ઉમેદવાર ગુમ થયા બાદ નાટકીય રીતે હાજર, રહસ્યમય વળાંક.
વલસાડના વાસણ બેઠકના AAP ઉમેદવાર 24 કલાકમાં ઘરે હાજર થતાં રહસ્યમય વળાંક આવ્યો. ઉમેદવારે કહ્યું કે તેઓ પોતાની રીતે સાળા સાથે ગયા હતા, અપહરણ થયું ન હતું. શાંતિથી જીવવા માટે ચૂંટણી લડવાના નથી, ફોર્મ પરત ખેંચશે. તેઓ વલસાડ મામલતદાર કચેરીથી લીંબુ શરબત પીને નીકળી ગયા હતા. બે દીકરીઓના ભવિષ્ય માટે તેઓ ચિંતિત છે.
વાસણ બેઠકના AAP ઉમેદવાર ગુમ થયા બાદ નાટકીય રીતે હાજર, રહસ્યમય વળાંક.
ચૂંટણી અધિકારીએ અપક્ષનું ફોર્મ માન્ય રાખ્યું, મામલતદારના આપઘાત બાદ વિવાદ ઉગ્ર બન્યો.
ઉમરગામ તાલુકા પંચાયતની સરીગામ બેઠક પર અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ભાજપે વાંધા અરજી કરી હતી, પરંતુ ચૂંટણી અધિકારીએ ફોર્મ માન્ય રાખ્યું. આ પહેલા મામલતદાર દલપતભાઇ બ્રાહ્મણકાચ્છ પર રાજકીય દબાણના કારણે આપઘાત કર્યાની ચર્ચા છે. ઉમેદવારી પત્રક ચકાસણીના દિને અપક્ષનું ઉમેદવારી પત્રક રદ કરવા માટે સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં મામલતદાર કચેરીના CCTV કેમેરા અને ચૂંટણી માટેની વિડીઓગ્રાફીનો રેકોર્ડ તથા મામલતદારના ફોન રેકોર્ડ તપાસ કરવા જરૂરી છે.
ચૂંટણી અધિકારીએ અપક્ષનું ફોર્મ માન્ય રાખ્યું, મામલતદારના આપઘાત બાદ વિવાદ ઉગ્ર બન્યો.
લોકસભાની બેઠકો 543થી વધીને 850 થઈ શકે છે, કેન્દ્ર સરકારે તૈયાર કર્યું નવું બિલ.
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની સભ્ય સંખ્યામાં ધરખમ વધારો કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, સરકારે સાંસદો સાથે 'બંધારણ (131મો સુધારો) બિલ, 2026' શેર કર્યું છે. આ બિલમાં લોકસભાની કુલ બેઠકોની મર્યાદા વધારીને 850 કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલ આગામી વસતી ગણતરીના આધારે લોકસભા બેઠકોની સંખ્યા વધારીને વધુમાં વધુ 850 કરવા, મતવિસ્તારોના પુનઃનિર્ધારણ અને મહિલા અનામતના અસરકારક અમલીકરણ માટે વૈધાનિક માર્ગ મોકળો થશે.
લોકસભાની બેઠકો 543થી વધીને 850 થઈ શકે છે, કેન્દ્ર સરકારે તૈયાર કર્યું નવું બિલ.
PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ.
ઉત્તર ભારતની કનેક્ટિવિટીમાં એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. PM નરેન્દ્ર મોદી મંગળવારે 213 કિલોમીટર લાંબા દિલ્હી-દેહરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. ₹12,000 કરોડના ખર્ચે બનેલો આ છ-લેનનો એક્સપ્રેસ-વે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને એકબીજાની વધુ નજીક લાવશે. ઉદ્ઘાટન પૂર્વે વડાપ્રધાન ધાર્મિક અને પર્યાવરણીય મુલાકાત પણ લેશે. વન્યજીવ કોરિડોર નિરીક્ષણ પણ તેઓ કરશે. વડાપ્રધાન સહારનપુર (UP) ખાતે એશિયાના સૌથી લાંબા વન્યજીવ એલિવેટેડ કોરિડોરની સમીક્ષા કરશે.
PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ.
આજે મેષ સંક્રાંતિ: સૂર્ય રાશિ પરિવર્તનથી ખરમાસ સમાપ્ત, માંગલિક કાર્યો શરૂ; પૂજા વિધિ અને મહત્વ જાણો.
આજે (14 એપ્રિલ) મેષ સંક્રાંતિ, સૂર્ય મેષ રાશિમાં પ્રવેશતા ખરમાસ સમાપ્ત થયો. ધર્મ અને જ્યોતિષમાં સૂર્યના રાશિ પરિવર્તનનું મહત્વ છે. સૂર્ય જ્યારે રાશિ બદલે તેને સંક્રાંતિ કહેવાય. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, હવે લગ્ન, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો થશે. નદીમાં સ્નાન, પૂજા, સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું, દાન-પુણ્ય કરવાની પરંપરા છે. પાણી, માટલું, છત્રી, જૂતા-ચપ્પલનું દાન કરો. સૂર્ય સિદ્ધાંત, ભવિષ્ય પુરાણમાં મેષ સંક્રાંતિનો ઉલ્લેખ છે.