ચૂંટણી અધિકારીએ અપક્ષનું ફોર્મ માન્ય રાખ્યું, મામલતદારના આપઘાત બાદ વિવાદ ઉગ્ર બન્યો.
ચૂંટણી અધિકારીએ અપક્ષનું ફોર્મ માન્ય રાખ્યું, મામલતદારના આપઘાત બાદ વિવાદ ઉગ્ર બન્યો.
Published on: 15th April, 2026

ઉમરગામ તાલુકા પંચાયતની સરીગામ બેઠક પર અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ભાજપે વાંધા અરજી કરી હતી, પરંતુ ચૂંટણી અધિકારીએ ફોર્મ માન્ય રાખ્યું. આ પહેલા મામલતદાર દલપતભાઇ બ્રાહ્મણકાચ્છ પર રાજકીય દબાણના કારણે આપઘાત કર્યાની ચર્ચા છે. ઉમેદવારી પત્રક ચકાસણીના દિને અપક્ષનું ઉમેદવારી પત્રક રદ કરવા માટે સર્જાયેલા હાઈ વોલ્ટેજ ડ્રામામાં મામલતદાર કચેરીના CCTV કેમેરા અને ચૂંટણી માટેની વિડીઓગ્રાફીનો રેકોર્ડ તથા મામલતદારના ફોન રેકોર્ડ તપાસ કરવા જરૂરી છે.