પીએમ મોદી ત્રણ દેશોની યાત્રા પર જવા રવાના, કરશે આ મહત્વનું કામ
Published on: 15th June, 2025
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 જૂને પાંચ દિવસની વિદેશ યાત્રા માટે રવાના થઈ ગયા છે. તેમની આ યાત્રા સાઈપ્રસ, કેનેડા અને ક્રોએશિયા સુધી ફેલાયેલી હશે. આ પ્રવાસની શરૂઆત તેઓ સાઈપ્રસથી કરશે. તેઓ 15-16 જૂન ત્યાં રહેશે. આ સફર સાઈપ્રસના રાષ્ટ્રપતિ નોકોસ ક્રિસ્ટોડોલિજેસના આમંત્રણ પર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારતના પ્રધાનમંત્રીની આ પહેલી સાઈપ્રસ યાત્રા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર ,નિવેશ, સુરક્ષા અને ટેકનોલોજીના સહયોગમને મજબૂત બનાવવા પર ચર્ચા થશે. સાઈપ્રસ બાદ પ્રધાનમંત્રી મોદી 16-17 જૂનના રોજ કનેડાના કનાનાસ્કિસ શહેરમાં જશે, જ્યાં તેઓ જી-7 શિખર સંલેનમાં ભાગ લેશે. આ પ્રવાસ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના આમંત્રણથી કરવામાં આવી રહ્યો છે. આ સંમેલનમાં ઉર્જા સુરક્ષા, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્ટ્સ, ટેકનોલોજી અને ક્વોન્ટ્મ ઈનોવેશન જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સાથે તેઓ ઘણી દ્વીપક્ષીય બેઠક પણ કરશે. પીએમ મોદી 18 જૂને ક્રોએશિયાના પ્રવાસે જશે. તે ક્રોએશિયાના પ્રધાનમંત્રી આંદ્રેજ પ્લેંકોવિચ અને રાષ્ટ્રપતિ જોરાન મિલાનોવિચ સાથે મુલાકાત કરશે. આ ઐતહાસિક યાત્રા દરમિયાન દ્વીપક્ષીય સહયોગને લઈને કેટલીક મહત્વની સમજૂતીઓ થશે.