
પૂર્વાચલ એક્સપ્રેસ પર એમ્બ્યુલન્સ અને પિકઅપ વાન વચ્ચે ટક્કર, 5 ના મોત
ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના પૂર્વાચલ એક્સપ્રેસ પર રવિવારે પિક અપ વાન અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસમાત થવાથી 5 લોકોના મોત નિપજ્યા છે. અન્ય એક ખૂબ ગંભીર રીતે ઘાયલ થયું છે. આ ઘટના પર મુખ્યમંત્રી આદિત્યનાથે દુઃખ વ્યક્ત કર્યું છે. હરિયાણાથી બિહાર જઈ રહી હતી એમ્બ્યુલન્સ: પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના શુકુલ બઝાર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં પૂર્વાંચલ એક્સપ્રેસ પર બની હતી. જ્યારે હરિયાણાથી બિહારના સમસ્તીપુર મૃતદેહ લી જતી એમ્બ્યુલન્સે આગળ નિકળવાના પ્રયત્નમાં એક પિક અપ વાનને ટક્કર મારી દીધી હતી.પોલીસ અધિકારી અભિનેશ કુમારે જણાવ્યું હતું કે આ ઘટનામાં એમ્બ્યુલન્સમાં બેસેલા પાંચ લોકોના મોત નિપજ્યા હતા, અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને ગૌરીગંજ જિલ્લાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.મૃતકોની થઈ ઓળખ : પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે બિહારના રહેવાસી રાજકુમાર શર્મા ઉર્ફે સતીશ શર્મા, રવિ શર્મા, પૂલો શર્મા અને હરીયાણા નિવાસી સરફરાઝ તથા આબિજના રૂપમાં થઈ છે. જેમાં ઘાયલોની ઓળખ બિહારના રહેવાસી શંભુ રાયના રૂપમાં થઈ છે.>સીએમ યોગીએ દુ:ખ વ્યક્ત કર્યું છે
આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયના સોસિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પરથી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનપદમાં થયેલા અકસ્માત વિશે માહિતી મેળવી છે. તેમણે મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે.
પૂર્વાચલ એક્સપ્રેસ પર એમ્બ્યુલન્સ અને પિકઅપ વાન વચ્ચે ટક્કર, 5 ના મોત

આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના કાર્યાલયના સોસિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ પરથી એક પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનપદમાં થયેલા અકસ્માત વિશે માહિતી મેળવી છે. તેમણે મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી છે.