બ્રહ્મપુત્ર નદીમાં પૂરથી ખેતરોમાં જળબંબાકાર
Published on: 04th June, 2025
પૂર્વોત્તરના રાજ્યોમાં પૂર અને ભારે વરસાદથી જનજીવન બેકાબૂ બની ગયું છે. બ્રહ્મપુત્ર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ બની હોવાથી સોનિતપુર જિલ્લામાં નદીના પાણી ફરી વળ્યા છે. બરસલાના બચાસિમલુ, ચિલમારી અને મારાબેલસિરી વિસ્તારો પૂરની અસર હેઠળ છે. ખેતરો, ખાસ કરીને ડાંગર અને મકાઈ, પૂરથી સંપૂર્ણપણે ડૂબી ગયા છે, જેના કારણે ખેડૂતોને ભારે નુક્શાન પોહચ્યું છે અને તેમના જીવિકા પર અસર પડી છે. ઘણા પરિવારોએ પોતાનું ઘર છોડવું પડ્યું અને ઊંચા સ્થળે આશ્રય લીધો છે. પૂર પીડિતો ખોરાક, કપડાં અને આશ્રય માટે તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે.