વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
BAPS સંસ્થા દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકોનો એકસાથે મુખપાઠ કરીને અનોખો વિશ્વવિક્રમ સર્જાયો, જેની નોંધ ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ છે. આ વિશ્વવિક્રમમાં વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 759થી વધુ બાળ-બાલિકાઓએ પણ ભાગ લીધો. ચાણસદ ખાતે યોજાયેલા વિશેષ સન્માન સમારોહમાં આ તમામ બાળ-બાલિકાઓને ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા. આ સિદ્ધિ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું જીવંત ઉદાહરણ છે.
વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
ચિન્મય સાધના આશ્રમ ખાતે વિશ્રામ ભજન સંધ્યા યોજાઈ
પ. પૂ. ગુરુજી સ્વામી તેજોમયાનંદજીના જન્મદિવસ નિમિત્તે શહેરના ચિન્મય સાધના આશ્રમ ખાતે શ્રી ગુરુ ચરણોમાં વિશ્રામ ભજન સંધ્યા યોજાઈ હતી. ભજન મંડળીએ ભાવપૂર્ણ ભક્તિ ગીતોથી સમગ્ર વાતાવરણમાં શાંતિ, ભક્તિ અને કૃતજ્ઞતાનો માહોલ સર્જાયો હતો. સ્વામી દેવેશાનંદજી આશીર્વચન આપ્યા હતા. તેમણે સૌને સામૂહિક ભજન અને સત્સંગ દ્વારા પોતાની આધ્યાત્મિક સાધનાને વધુ ઊંડી કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સમાપન દિવ્ય મહાઆરતી સાથે થયું હતું.
ચિન્મય સાધના આશ્રમ ખાતે વિશ્રામ ભજન સંધ્યા યોજાઈ
ધોળકા સ્વામિનારાયણ મંદિરમાં પૂનમે ઘારીનો અન્નકૂટ ધરાવાયો
સ્વામિનારાયણ મંદિર ધોળકા(મુખ્ય)માં પવિત્ર જેઠ સુદ પૂનમના દિવસે 200 વર્ષ ત્યોહાર અનુલક્ષી મોરલી મનોહર દેવ ત્થા સ્થાપિત દેવોને 251 કિલો ઘારીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના મહંતસ્વામી સત્યસંકલ્પદાસજીના સંકલ્પથી જરૂરિયાતમંદ 200 બાળકોને સ્કૂલ બેગનુ વિતરણ કરાયું હતું.
ધોળકા સ્વામિનારાયણ મંદિરમાં પૂનમે ઘારીનો અન્નકૂટ ધરાવાયો
વટસાવિત્રીની ઉજવણી, પતિના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના
તાપી જિલ્લાના વ્યારા, ડોલવણ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં સોમવારે સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રીના પાવન પર્વની ઉજવણી કરી હતી. વ્યારા નર્મદેશ્વર મહાદેવ મંદિર તેમજ જુદાજુદા વિસ્તારોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્ધારા વડની પૂજા-અર્ચના કરી પતિના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. છેવાડાના તાલુકાઓ નિઝર, ઉચ્છલ અને કુકરમુંડા તાલુકાઓના ગામોમાં વટસાવિત્રી પૂનમ નિમિત્તે મહિલાઓએ વ્રત રાખી પતિદેવોના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.
વટસાવિત્રીની ઉજવણી, પતિના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના
મહિલાઓએ ઉત્સાહભેર ઉજવ્યું વટ સાવિત્રી વ્રત
ગઈ કાલે(૨૯ જૂને) સમગ્ર રાજ્યમાં અખંડ સૌભાગ્યની કામના સાથે વટ સાવિત્રી વ્રતની પરંપરાગત અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પરિણીત મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુ અને સુખ-સમૃદ્ધિ માટે આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો. સવારથી જ વડ પૂજન માટે વહેલી સવારથી જ મંદિરો અને સોસાયટીઓમાં મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી.
મહિલાઓએ ઉત્સાહભેર ઉજવ્યું વટ સાવિત્રી વ્રત
વડોદરાના વાઘોડિયા નગરમાં કોમી એકતા સાથે તાજિયાનું વિસર્જન
વડોદરાના વાઘોડિયા નગર સહિત તાલુકામાં વિવિધ કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યાં હતા. આ જુલૂસોમા આગળ અંગ કસરત અને કવાલીઓની ટુકડીઓ સાથે ઢોલ નગારા સાથે યા હુસેન યા હુસેનના ગગનભેદી સૂત્રોથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ વિસર્જનયાત્રા શાંતિથી કોમી એખલાસના વાતાવરણમાં સંપન્ન થઈ હતી.
વડોદરાના વાઘોડિયા નગરમાં કોમી એકતા સાથે તાજિયાનું વિસર્જન
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતીની ઉજવણી
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતી અને ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગાયત્રી મહામંત્રના જાપ, ધ્યાન અને પંચ કુંડી મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. જ્યારે રાત્રિના સમયે દીપ યજ્ઞ સાથે સવા કરોડ ગાયત્રી ચાલીસા અનુષ્ઠાનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
બાયડ ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતીની ઉજવણી
મહોરમ નિમિત્તે હિંમતનગરમાં જૂલૂસ નિકળ્યું, સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
મુસ્લીમ સમાજના તહેવાર તરીકે ઓળખાતા મહોરમ નિમિત્તે શુક્રવારે હિંમતનગર સહિત ઈડર અને અન્ય સ્થળે જુલુસ અંતર્ગત તાજીયા કાઢવામાં આવ્યા હતા જે મુજબ હિંમતનગરના છાપરીયા, હાજીપુરા સહિત અન્ય મુસ્લીમ વિસ્તારોમાં નિકળેલુ જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. દરમિયાન જિલ્લા કલેકટર અને પોલીસવડાએ રૂબરૂ મુલાકાત લીધી હતી.
મહોરમ નિમિત્તે હિંમતનગરમાં જૂલૂસ નિકળ્યું, સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગોધરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ભવ્ય ઉજવણી
ગોધરા શહેરમાં મુસ્લિમ બિરાદારો દ્વારા મોહરમ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. 'નો જવાન હુસેની કમિટી' અને એકતા હુસેની કમિટી દ્વારા કલાત્મક રીતે શણગારવામાં આવેલા તાજીયાનું જુલુસ પોલીસ બંદોબસ્ત વચ્ચે મોડી સાંજે નીકળ્યું. 'યા હુસેન'ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. છકડાવાડ, ખાડી ફળિયા, સૈયદવાડા જેવા વિસ્તારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. શાંતિપૂર્ણ ઉજવણી બાદ રાત્રે તાજીયાને રામસાગર તળાવમાં ઠંડા કરવામાં આવ્યા.
ગોધરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ભવ્ય ઉજવણી
પંચમહાલના શહેરા નગર-તાલુકામાં શાંતિ અને ભક્તિપૂર્ણ મોહરમ પર્વની ઉજવણી
શહેરા નગર અને તાલુકા પંથકમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની અદમ્ય આસ્થા અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી. નગરમાં પરંપરાગત રીતે નીકળેલા ભવ્ય જુલુસમાં 'યા હુસેન... યા હુસેન...' ના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા હતા. આ વર્ષે ૧૦ થી વધુ કલાત્મક તાજિયાઓ તૈયાર કરાયા હતા. હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કોમી એકતાના માહોલમાં તાજિયાઓની સ્થાપના થઈ. વિશેષ નમાઝ બાદ તાજિયાઓનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું.
પંચમહાલના શહેરા નગર-તાલુકામાં શાંતિ અને ભક્તિપૂર્ણ મોહરમ પર્વની ઉજવણી
ધંધુકા સહિત અમદાવાદ જિલ્લામાં પરંપરાગત રીતે મહોરમ પર્વની ભવ્ય ઉજવણી
અમદાવાદ જિલ્લામાં ધંધુકા, ધોળકા, સાણંદ સહિતના તમામ તાલુકાઓમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો. કર્બલાના શહીદોના બલિદાનને યાદ કરી મજલિસો, માતમી જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા. 'યા હુસૈન'ના નારા સાથે શાંતિપૂર્ણ માતમ મનાવી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. ધંધુકા અને આસપાસના ગામોમાં નીકળેલા તાજિયા અને ઝરી આકર્ષણનું કેન્દ્ર બન્યા. સમગ્ર જિલ્લામાં કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જોવા મળ્યું. પોલીસ બંદોબસ્ત હેઠળ શાંતિપૂર્ણ સંપન્ન.
ધંધુકા સહિત અમદાવાદ જિલ્લામાં પરંપરાગત રીતે મહોરમ પર્વની ભવ્ય ઉજવણી
સુરેન્દ્રનગરમાં 'યા..હુસેન' ના નારા સાથે મહોરમ પર્વની ધાર્મિક ઉજવણી
સુરેન્દ્રનગર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ પવિત્ર મહોરમ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી. શહેરના રાજમાર્ગો પર તાજીયાના જુલૂસ નીકળ્યા હતા, જેમાં હજારો મુસ્લિમ આગેવાનો અને યુવાનો 'યા..હુસેન' ના નારા લગાવતા જોડાયા હતા. કરબલાના મેદાનમાં થયેલી હજરત ઇમામ હુસેનની શહાદતની યાદમાં આ પર્વ ઉજવાય છે. સમગ્ર ઝાલાવાડમાં લગભગ 50થી વધુ સ્થળોએ નાના-મોટા તાજીયા જુલૂસનું આયોજન કરાયું હતું. મુસ્લિમ મહિલાઓએ મરશીયા પણ ગાયા હતા.
સુરેન્દ્રનગરમાં 'યા..હુસેન' ના નારા સાથે મહોરમ પર્વની ધાર્મિક ઉજવણી
પાટણના વેજાવાડાના બુટલેગરનું ગેરકાયદેસર દબાણ હટાવ્યું
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વેજાવાડા ગામમાં બુટલેગર દ્વારા ગેરકાયદેસર રીતે દારૂનું વેચાણ કરવા માટે રાખવામાં આવેલી કેબિન દૂર કરવામાં આવી છે. એક સગીર વયના યુવાન સાથે દારૂ વેચાણ કરતો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. પાટણ જિલ્લા પોલીસ વડા વી.કે.નાયીના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા, પી.આઈ. એ.જે.મહેરિયા અને હારીજ પોલીસ જવાનોની ટીમે જેસીબી મશીન વડે કેબિન હટાવી દીધી. આ બુટલેગર વિરુદ્ધ 9 પ્રોહિબિશન ગુના નોંધાયેલા છે.
પાટણના વેજાવાડાના બુટલેગરનું ગેરકાયદેસર દબાણ હટાવ્યું
કબીરના ઉપદેશો: માનવીય મૂલ્યો અને સામાજિક સમરૂપતાનો માર્ગ
આધુનિક સ્પર્ધાત્મક સમાજમાં માનવીય સંબંધો તંગ બની રહ્યા છે, જેના કારણે હતાશા અને સામાજિક સમસ્યાઓ વધી રહી છે. મધ્યયુગીન સંત કબીર તેમના ઉપદેશો દ્વારા પાયાના માનવીય મૂલ્યો, જેમ કે દયા, ગરીબી, સમતા અને પરસ્પર પ્રેમ પર ભાર મૂકે છે. તેઓ નિરાકાર ઈશ્વરમાં માનતા અને સત્યને જ ઈશ્વર ગણાવતા. કબીર સંપ્રદાય, જાતિ, અને ધર્મના બાહ્ય આડંબરોનો વિરોધ કરી, માનવ પ્રેમ અને સહજીવનને સાચો ધર્મ ગણાવે છે. તેમનો સંદેશ છે કે સાચો ધર્મ કર્મકાંડોમાં નહીં, પરંતુ માનવતામાં રહેલો છે.
કબીરના ઉપદેશો: માનવીય મૂલ્યો અને સામાજિક સમરૂપતાનો માર્ગ
હિંમતનગરના હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે તાજેતરમાં મહાકાળી મંદિરનો આઠમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. પાટોત્સવ નિમિત્તે રાખવામાં આવેલ હવનમાં મોહનભાઈ વણકર, હિતેશભાઈ વણકરે ધર્મલાભ લીધો હતો. પાટોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે સમાજના બંકિમભાઈ વણકરે ભોજનના દાતા તરીકે યોગદાન આપ્યું હતું. સાથો સાથ વણકર સમાજની 80થી વધુ દિકરીઓને શશિભાઈ ચૌહાણ પરિવાર દ્વારા સ્મૃતિભેટ આપવામાં આવી હતી. પાટોત્સવને સફળ બનાવવા મહાકાળી યુવક મંડળના યુવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
હિંમતનગરના હડિયોલમાં માતાજીનો પાટોત્સવ ઉજવાયો
ઇન્ડોનેશિયાનું પ્રમ્બાનન મંદિર: નવમી સદીની ભારતીય સંસ્કૃતિનું ભવ્ય પ્રતીક
ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર આવેલું પ્રમ્બાનન મંદિર, જે નવમી સદીમાં નિર્માણ પામ્યું હતું, તે ભારતીય વૈદિક સંસ્કૃતિના વૈશ્વિક પ્રભાવનું ઉત્તમ ઉદાહરણ છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયેલ આ પથ્થરનું ભવ્ય મંદિર, ત્રિમૂર્તિ - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સમર્પિત છે. તેની અદ્ભુત સ્થાપત્ય શૈલી, રામાયણ અને ભાગવત પુરાણની કોતરણીઓ પ્રાચીન કારીગરોની કળા અને કૌશલ્ય દર્શાવે છે. ભૂકંપ અને જ્વાળામુખી વિસ્ફોટોથી ક્ષતિગ્રસ્ત થયા બાદ, આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે.
ઇન્ડોનેશિયાનું પ્રમ્બાનન મંદિર: નવમી સદીની ભારતીય સંસ્કૃતિનું ભવ્ય પ્રતીક
હાલોલ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરનો 12મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
પંચમહાલના હાલોલ નગરમાં કંજરી રોડ પર આવેલા શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરનો 12મો પાટોત્સવ તા. 16 થી 18 જૂન દરમિયાન ત્રણ દિવસ ધામધૂમથી ઉજવાયો. આ ઉત્સવ શ્રી રામજી મંદિરના મહંત શ્રી પ.પૂ.રામશનરદાસજી મહારાજની પ્રેરણાથી યોજાયો હતો. જેમાં સુંદરકાંડના પાઠ, લોકડાયરો, શ્રી ગણેશ યજ્ઞ અને સહસ્ત્ર મોદક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ દંપતીઓએ યજ્ઞ કુંડમાં આહુતિ આપી હતી.
હાલોલ સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણેશ મંદિરનો 12મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા અમરનાથ સેવાના 25 વર્ષ પૂર્ણ
દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા પવિત્ર અમરનાથ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓની નિઃસ્વાર્થ સેવાના 25 વર્ષ પૂર્ણ થયા છે. આ નિમિત્તે, સંસ્થા દ્વારા એકત્ર કરાયેલી ખાદ્ય સામગ્રી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ભરેલી ટ્રકને જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે ભંડારા માટે રવાના કરવામાં આવી. છેલ્લા અઢી દાયકાથી આ પરિવાર દર વર્ષે અમરનાથ યાત્રીઓ માટે વિશાળ ભંડારાનું આયોજન કરે છે. આ સેવા પ્રવૃત્તિમાં દાહોદના શિવભક્તોના સહકારથી હજારો યાત્રીઓની સેવા કરવાનું સદભાગ્ય સાંપડ્યું છે.
દાહોદના ભોલે ભંડારા પરિવાર દ્વારા અમરનાથ સેવાના 25 વર્ષ પૂર્ણ
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા મુકામે આઈ શ્રીરાજબાઈ માતાજીનાં આંગી પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી
દસાડા તાલુકાના ઝીંઝુવાડા મુકામે આઈ શ્રી રાજબાઈ માતાજીનાં 17માં આંગી પ્રતીષ્ઠા મહોત્સવની શ્રી રાજબાઈ માતાજી મંદીર અને ધર્મશાળા ટ્રસ્ટ અને સમસ્ત ઝીંઝુવાડા ગામ દ્વારા ધામધૂમથી ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. જેમા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઊમટયો હતો.
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા મુકામે આઈ શ્રીરાજબાઈ માતાજીનાં આંગી પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી
21 ફૂટની 1001 કિલોની વિશાળ ગદા જોઈ લોકો આશ્ચર્યચકિત
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના સાહોલ ગામમાં ગદાયાત્રા પહોંચી હતી, જ્યાં 21 ફૂટ લાંબી અને 1001 કિલો વજન ધરાવતી વિશાળ ગદાને જોઈ લોકો આશ્ચર્યચકિત થયા. આ ગદા રાજસ્થાનના ઉદયપુરમાં નિર્માણ પામી રહેલી 84 ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમા સાથે સ્થાપિત થશે. ધર્મ જાગરણ અભિયાનના ભાગરૂપે દેશભરમાં ભ્રમણ કરી રહેલી આ ગદા યાત્રાનો હેતુ હનુમાનજી પ્રત્યેની લોક આસ્થાને વધુ પ્રબળ બનાવવાનો છે. બાળકો અને ભક્તોએ ગદાના દર્શન કરી ધન્યતા અનુભવી.
21 ફૂટની 1001 કિલોની વિશાળ ગદા જોઈ લોકો આશ્ચર્યચકિત
ઇરાન-અમેરિકા શાંતિ સમજૂતી: ત્રણ મુખ્ય મુદ્દાઓ પર પ્રશ્નાર્થ
US પ્રમુખ ટ્રમ્પ ઇરાન સામે યુદ્ધ કરવાની તૈયારીઓ વચ્ચે, લાખો કરોડ રૂપિયાનો ખર્ચ અને વૈશ્વિક ઈંધણ કટોકટી પછી, અંતે શાંતિ સમજૂતી માટે રાજી થયા. ટ્રમ્પ ઇરાનમાં સત્તા પલટો ઈચ્છતા હતા, પરંતુ ઇરાને તેમને 111 દિવસ સુધી હંફાવ્યા. આખરે, ખર્ચાળ પ્રયાસો નિષ્ફળ જતાં, ટ્રમ્પ શાંતિ સમજૂતી તરફ વળ્યા. 18 જૂને બંને દેશોએ હસ્તાક્ષર કર્યા, પરંતુ ત્રણ મુખ્ય મુદ્દાઓ અનસુલઝ્યા રહ્યા છે: લેબેનોનમાં ઈઝરાયેલનું સૈન્ય અભિયાન, ઇરાનનો પરમાણુ કાર્યક્રમ, અને હોર્મુઝની ખાડી પર નિયંત્રણ. આ મુદ્દાઓ શાંતિ સમજૂતી માટે જોખમી સાબિત થઈ શકે છે.
ઇરાન-અમેરિકા શાંતિ સમજૂતી: ત્રણ મુખ્ય મુદ્દાઓ પર પ્રશ્નાર્થ
યુદ્ધમાં વેડફાયેલા અબજો ડોલર, જેમાંથી બની શકે 50 હજાર શાળાઓ અને હોસ્પિટલો
ઈરાન-અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધ, જે 40 દિવસ ચાલ્યું, તેણે વિનાશ વેર્યો અને હજારો નિર્દોષોના જીવ લીધા. આ ભીષણ સંઘર્ષમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની અને IRGCના ટોચના કમાન્ડરો માર્યા ગયા. યુદ્ધને કારણે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ થતાં વૈશ્વિક વેપાર અને અર્થતંત્ર પડી ભાંગ્યું. ક્રૂડ ઓઈલ, પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા અને જીવનજરૂરી ચીજો મોંઘી બની. આ યુદ્ધનો ખર્ચ એટલો વિશાળ હતો કે તેમાંથી વિશ્વમાં 50,000 થી વધુ અત્યાધુનિક હોસ્પિટલો અને લાખો શાળાઓ બની શક્યા હોત. આના બદલે, યુદ્ધે શરણાર્થી સંકટને વધુ ઘેરું બનાવ્યું છે, લાખો લોકોને વિસ્થાપિત થવા મજબૂર કર્યા છે, જે માનવજાત માટે એક કલંક સમાન છે.
યુદ્ધમાં વેડફાયેલા અબજો ડોલર, જેમાંથી બની શકે 50 હજાર શાળાઓ અને હોસ્પિટલો
ઈરાન-US શાંતિ કરાર રદ, IRGCએ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની આપી ધમકી
ઈરાને વિશ્વના મુખ્ય તેલ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ પર ફરીથી નાકાબંધી લાદી દીધી છે, જેણે વૈશ્વિક બજારમાં ખળભળાટ મચાવ્યો છે. ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે શાંતિ કરારના MoU પર હસ્તાક્ષર થયા બાદ, અપેક્ષા હતી કે યુદ્ધ ટળી જશે, પરંતુ ઈરાને છેલ્લી ઘડીએ યુ-ટર્ન લઈને સૌને આશ્ચર્યચકિત કર્યા છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં પરમાણુ વાટાઘાટોના બદલે, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરી છે, જે અમેરિકાના શરતોના ઉલ્લંઘનનો આરોપ લગાવે છે.
ઈરાન-US શાંતિ કરાર રદ, IRGCએ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની આપી ધમકી
મહાદેવના દર્શન માટે ૧૨ વર્ષથી ઊભા, શિવ ભક્તની અનોખી જીદ
હરિયાણાના પાણીપતના દુલાલ ગિરિ જી મહારાજ ભગવાન શિવની ભક્તિમાં લીન છે. તેઓ ૧૨ વર્ષથી સતત ઊભા રહીને તપસ્યા કરી રહ્યા છે, જ્યાં સુધી મહાદેવ તેમને દર્શન ન આપે ત્યાં સુધી બેસવાનો ઇનકાર કર્યો છે. આ કઠોર ભક્તિના કારણે તેમના પગમાં રક્ત પરિભ્રમણની સમસ્યાને કારણે સોજો અને કાળાશ આવી ગઈ છે, જેનાથી તેમની તબિયત ચિંતાજનક બની રહી છે. દુલાલ ગિરિ જીએ ભગવાન શિવના સાક્ષાત્કાર માટે પોતાનો યુનિવર્સિટી અભ્યાસ પણ છોડી દીધો છે.
મહાદેવના દર્શન માટે ૧૨ વર્ષથી ઊભા, શિવ ભક્તની અનોખી જીદ
રામ મંદિર વિવાદ સિવાય આ ભારતીય મંદિરો પણ વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે
ભારતમાં રામ મંદિર સિવાય પણ અનેક ઐતિહાસિક મંદિરો કાનૂની અને સામાજિક વિવાદોના કેન્દ્રમાં રહ્યા છે. કાશી વિશ્વનાથ, કૃષ્ણ જન્મભૂમિ, કુતુબ મિનાર, ભોજશાળા, સબરીમાલા અને જગન્નાથ મંદિર જેવા સ્થળો પર માલિકી હક, ઐતિહાસિક દાવાઓ અને ધાર્મિક પરંપરાઓને લઈને વિવાદો ચાલી રહ્યા છે. આવા વિવાદો ઘણીવાર પુરાતત્વીય અહેવાલો, કોર્ટના દસ્તાવેજો અને ઐતિહાસિક સ્ત્રોતો પર આધારિત હોય છે, જે ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની જટિલતા દર્શાવે છે.
રામ મંદિર વિવાદ સિવાય આ ભારતીય મંદિરો પણ વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે
મધ્ય પૂર્વમાં યુદ્ધનો 'બીજો ભાગ', ઈઝરાયેલના હુમલામાં 18 નાગરિકોના મોત
પશ્ચિમ એશિયામાં શાંતિની આશા ફરી એકવાર યુદ્ધના ભયાનક 'પાર્ટ-2' માં ડૂબી ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલ અસ્થાયી સીઝફાયર ડીલ હવે જોખમમાં આવી ગઈ છે. દક્ષિણ લેબનાનમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભીષણ લડાઈમાં ઈઝરાયેલના 4 સૈનિકો અને 18 નાગરિકોના મોત થયા છે. આ હિંસાને કારણે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો ઈરાન સાથેના કરાર માટેનો સ્વિટ્ઝર્લેન્ડ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. ઈરાને ઈઝરાયેલના હુમલાના વિરોધમાં ટીમ મોકલવાનો ઈનકાર કર્યો છે. અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે સંબંધોમાં તણાવ વધ્યો છે.
મધ્ય પૂર્વમાં યુદ્ધનો 'બીજો ભાગ', ઈઝરાયેલના હુમલામાં 18 નાગરિકોના મોત
Strait Of Hormuz ફરી ખુલ્યો: સમજૂતી બાદ પહેલા દિવસે કેટલા જહાજો પસાર થયા?
વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલના સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતો 'Strait of Hormuz' નો જળમાર્ગ ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા હંગામી કરાર બાદ ફરી સંપૂર્ણપણે ખુલી ગયો છે. કરાર મુજબ, અમેરિકી સેનાએ નાકાબંધી હટાવી લીધી છે અને ઈરાને વ્યાપારી જહાજોને પસાર થવા દીધા છે. જોકે, સુરક્ષાના કારણોસર અને દરિયાઈ સુરંગો (માઈન્સ) તથા ટોલ ટેક્સના વિવાદને કારણે જહાજોની અવરજવર હજુ ધીમી છે. પહેલા દિવસે માત્ર 25 જહાજો જ પસાર થયા, જે યુદ્ધ પહેલાના દૈનિક ટ્રાફિક (100-130 જહાજો) કરતાં ઘણું ઓછું છે.
Strait Of Hormuz ફરી ખુલ્યો: સમજૂતી બાદ પહેલા દિવસે કેટલા જહાજો પસાર થયા?
પશ્ચિમ એશિયામાં તણાવ: ઈઝરાયેલે ઇસ્લામાબાદ કરાર ફગાવ્યો
પશ્ચિમ એશિયામાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી ચાલી રહેલો તણાવ વધુ વિસ્ફોટક બન્યો છે. ઈઝરાયેલે દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ પર ભીષણ હવાઈ અને ડ્રોન હુમલા શરૂ કર્યા છે. આ હુમલાઓ દ્વારા ઈઝરાયેલ અમેરિકા અને ઈરાન વચ્ચેના 'ઇસ્લામાબાદ કરાર'ને અવગણી રહ્યું છે. આ સંઘર્ષમાં લેબનોનમાં ૧૮ લોકોના મોત થયા છે અને ૩૩ થી વધુ ઘાયલ થયા છે, જ્યારે ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસના ચાર સૈનિકો પણ માર્યા ગયા છે. ઈરાને આ હુમલાઓનો વિરોધ કર્યો છે, જેના કારણે અમેરિકા-ઈરાન શાંતિ બેઠક ટળી છે.
પશ્ચિમ એશિયામાં તણાવ: ઈઝરાયેલે ઇસ્લામાબાદ કરાર ફગાવ્યો
UAEના બિઝનેસમેને કરાવી અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ ડીલ, ઈઝરાયેલ થયું એકલું!
અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ ડીલમાં કતારના અમીર કે પાકિસ્તાનના આર્મી ચીફ નહીં, પણ UAE ના બિઝનેસમેન શેખ તહનુન બિન જાયદ અલ નાહયાન મુખ્ય ભૂમિકા ભજવી. તેમની કુશળ કૂટનીતિથી UAE એ યુદ્ધના બદલે શાંતિનો માર્ગ અપનાવ્યો. આ ડીલ હેઠળ, UAE એ ઈરાનને તેની ૩ અબજ ડોલરની રકમ પરત કરી અને ઈરાને UAE પર હુમલો ન કરવાની ખાતરી આપી. આના કારણે મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ એકલું પડી ગયું છે. આગામી બેઠકમાં સંવર્ધિત યુરેનિયમ, સેન્ટ્રીફ્યુજનો નાશ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ટોલ ટેક્સ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.
UAEના બિઝનેસમેને કરાવી અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ ડીલ, ઈઝરાયેલ થયું એકલું!
અમેરિકા-ઈરાન પ્રથમ ઐતિહાસિક બેઠક ટળી: ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો સ્વિટ્ઝરલેન્ડ પ્રવાસ રદ
અમેરિકા અને ઈરાન વચ્ચેની તાજેતરમાં થયેલી ઐતિહાસિક શાંતિ સમજૂતી બાદ યોજાનારી પ્રથમ મહત્વપૂર્ણ ટેકનિકલ સ્તરની વાતચીત હાલ પૂરતી ટળી ગઈ છે. આ બેઠક માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો સ્વિટ્ઝરલેન્ડ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસ દ્વારા લોજિસ્ટિક કારણોસર આ નિર્ણય લેવાયો છે. લ્યુસર્ન શહેરમાં યોજાનારી આ બેઠકમાં સમજૂતીના ટેકનિકલ પાસાઓ પર ચર્ચા થવાની હતી, પરંતુ હવે નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે.