ભાવનગરમાં અર્હમ યુવા સેવા ગ્રુપની અનોખી પહેલ: બે સ્કૂલના 350 વિદ્યાર્થીઓ અને 100 ગરીબોને કેસર કેરીનો રસ વિતરણ કરાયો
Published on: 15th June, 2025
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપે ભાવનગરમાં એક અનોખી સેવાની પહેલ કરી છે. સમીરભાઈ ગાંધી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી કસ્તુરબા મોહનદાસ ગાંધી સ્કૂલ અને શ્રી ભારતીય વિદ્યાલયના કુલ 350 વિદ્યાર્થીઓને કેસર કેરીનો રસ પીવડાવવામાં આવ્યો હતો. આ સેવા કાર્યમાં માત્ર શાળાના બાળકો જ નહીં, પરંતુ પાર્શ્વભક્તિના 100 ટિફિન મારફતે ગરીબ લોકો સુધી પણ કેસર કેરીનો રસ પહોંચાડવામાં આવ્યો. આ કાર્યક્રમ 14 જૂન, 2025ના રોજ ભાવનગરમાં યોજાયો હતો. અર્હમ યુવા સેવા ગ્રુપના છ સભ્યો - સમીરભાઈ, નીલેશભાઈ, તરંગભાઈ, કવીલભાઈ, જયેશભાઈ અને પરાગભાઈએ આ સેવાકાર્યમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. કુલ 450 લોકો સુધી આ સેવા પહોંચાડવામાં આવી, જેમાં શાળાના બાળકો અને ગરીબ લોકોનો સમાવેશ થાય છે.