ભારતીય રોકાણકારો US શેરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકે?
ભારતીયો INDmoney, Vested, Groww અથવા HDFC Securities જેવા પ્લેટફોર્મ દ્વારા સીધું યુએસ સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે. બ્રોકરેજ ઓછું હોય છે. જોકે, રોકાણ પર ડિવિડન્ડ અને કેપિટલ ગેઇન ટેક્સ લાગુ થાય છે. નવા નિયમો મુજબ LRS (Liberalised Remittance Scheme) હેઠળ ₹7 લાખથી વધુના રેમિટન્સ પર 20% TCS (Tax Collected at Source) લાગુ પડે છે. આ ઉપરાંત, વિદેશી એસેટ્સ પર LTCG (Long-Term Capital Gains) ટેક્સ હવે ઘટાડીને 12.5% કરવામાં આવ્યો છે, જે રોકાણકારો માટે ફાયદાકારક છે.
ભારતીય રોકાણકારો US શેરબજારમાં રોકાણ કેવી રીતે કરી શકે?
ટેક કંપની Oracleએ 30,000 કર્મચારીઓનું કર્યું લેઑફ
દુનિયાના છઠ્ઠા સૌથી અમીર ઉદ્યોગપતિ લેરી એલિસનની ટેક કંપની Oracleએ લગભગ 30,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. જેમાં ભારતના 12,000 કર્મચારીઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની આવતા મહિને છટણીનો બીજો રાઉન્ડ પણ શરૂ કરી શકે છે. કર્મચારીઓને સવારે 6 વાગ્યે ઇનબોક્સમાં ટર્મિનેશન લેટર મળ્યા. તેમાં લખ્યું હતું કે આજે તેમનો છેલ્લો કાર્યકારી દિવસ છે. થોડી જ મિનિટોમાં તેમની સિસ્ટમ એક્સેસ બંધ કરી દેવામાં આવી.
ટેક કંપની Oracleએ 30,000 કર્મચારીઓનું કર્યું લેઑફ
ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે જમીન પર હુમલો કરવાની ભૂલ કરશે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે.
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ કહ્યું કે, જો જરૂર પડે તો દેશ છ મહિના સુધી યુદ્ધ ચાલુ રાખી શકે છે. અરાઘચીએ જણાવ્યું હતું કે ઈરાન કોઈપણ ભૂમિ હુમલા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ, તેમણે કહ્યું. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે ઈરાન પોતે ભૂમિ યુદ્ધ ઇચ્છતું નથી, પરંતુ જો કોઈ યુદ્ધ થાય તો તેનો જવાબ આપવા સક્ષમ છે.
ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે જો તે જમીન પર હુમલો કરવાની ભૂલ કરશે તો તેને ભારે નુકસાન સહન કરવું પડશે.
અમદાવાદની Bacancy Systemsએ ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.
ગુજરાતની એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક્સ કંપની બેકેન્સી સિસ્ટમ્સ દ્વારા સિરીઝ A ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. Sabre Partners અને Greenstone Capitalના નેતૃત્વમાં થયેલા આ રોકાણનો ઉપયોગ ઉત્પાદન ક્ષમતા વધારવા, R&D મજબૂત કરવા અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વિસ્તરણ માટે થશે. 'મેક ઇન ઇન્ડિયા' અભિયાન હેઠળ કંપની સ્થાનિક નવીનતા અને ઉત્પાદન ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
અમદાવાદની Bacancy Systemsએ ફંડિંગમાં ₹40 કરોડ એકત્ર કર્યા.
ઈરાનના રાષ્ટ્રપતિએ કરી PM નરેન્દ્ર મોદી સાથે વાત.
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝાકિયાને PM નરેન્દ્ર મોદી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, બ્રિક્સ દેશોએ ઈરાન પરના હુમલા રોકવામાં ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોએ કોઈપણ દબાણ વિના, પોતાની મેળે કામ કરવું જોઈએ અને આ બાબતે આગળ આવવું જોઈએ. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, સાઉદી અરેબિયા, UAE, ઈરાન.
ઈરાનના રાષ્ટ્રપતિએ કરી PM નરેન્દ્ર મોદી સાથે વાત.
IRGC ના મુખ્ય પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું નિધન.
ઇરાનની શક્તિશાળી સૈન્ય સંસ્થા IRGC ના મુખ્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈની ના નિધનના સમાચાર સામે આવ્યા છે, જેમાં જણાવાયું છે કે તેઓ તાજેતરના હુમલા દરમિયાન મોતને ભેટ્યા હતા. નૈની IRGC માટે અત્યંત મહત્વપૂર્ણ ચહેરો ગણાતા હતા, કારણ કે તેમની મંજૂરી વિના કોઈપણ સત્તાવાર નિવેદન અથવા પ્રચાર બહાર પડતું નહોતું. તેઓ ખાસ કરીને મનોવૈજ્ઞાનિક યુદ્ધ અને જનસંપર્ક વિભાગના વડા તરીકે જાણીતા હતા, જેના કારણે સંસ્થાની વ્યૂહરચના અને સંદેશાવ્યવહાર પર તેમનો મજબૂત પ્રભાવ રહ્યો હતો. તેમના અચાનક અવસાનથી IRGC ની આંતરિક કામગીરી અને પ્રચાર વ્યવસ્થા પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
IRGC ના મુખ્ય પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીનું નિધન.
પાટણના ઝીલિયાકાંડ બાદ PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
પાટણના ઝીલીયાકાંડમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરાયા હતા. તેમાં PI સોલંકી, ASI, હેડ કોન્સ્ટેબલ તથા, 5 GRD જવાનો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે પાટણ DYSP પરેશ રેણુકાએ સ્વીકાર્યું હતું કે ચાણસ્મા પોલીસને હુમલો થવાની અગાઉથી માહિતી હતી. સ્થળ પર ‘112 જન સુરક્ષા’ અને પોલીસની ગાડી હાજર હતી, પરંતુ શસ્ત્રધારી શખ્સોને જોઈ પૂરતો સ્ટાફ ન હોવાનું કહી પોલીસ ત્યાંથી નીકળી ગઈ હતી.જ્યારે પોલીસ વધારાનો કાફલો લઈને પરત ફરી ત્યારે તમામ હુમલાખોરો આરામથી નાસી છૂટ્યા હતા.
પાટણના ઝીલિયાકાંડ બાદ PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
ઈરાને મધ્ય પૂર્વના 4 દેશો પર હુમલો કર્યો.
સાઉદી અરેબિયાના યામ્બુમાં સમરેફ ઓઇલ રિફાઇનરીમાં ડ્રોન હુમલો થયો, જેના કારણે ઉર્જા માળખાને નુકસાન થયું.કતારમાં રાસ લાફાન ગેસ પ્લાન્ટ પર હુમલો, આગ અને નુકસાન થયું. કુવૈતમાં મીના અલ-અહમદી અને મીના અબ્દુલ્લા રિફાઇનરીઓને નિશાન બનાવવામાં આવી હતી. UAEમાં વિવિધ ઉર્જા સ્થાપનો અને માળખાગત સુવિધાઓ પર હુમલો કરવામાં આવ્યો.
ઈરાને મધ્ય પૂર્વના 4 દેશો પર હુમલો કર્યો.
કતરથી LPG ગેસ લઈને ભારતીય જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું.
કતરથી LPG ગેસ લઈને શિવાલિક નામનું જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું. બીજું જહાજ નંદાદેવી જહાજ આવતીકાલે પહોંચશે. આ શિવાલિક જહાજમાં અંદાજિત 46 હજાર મેટ્રિક ટન LPG છે. જે અંદાજિત 32.4 લાખ ઘરેલું LPG સિલિન્ડર ભરી શકાય છે. હોર્મુઝ સ્ટ્રેટમાં હજુ પણ 22 ભારતીય જહાજો ફસાયેલા છે. તેમાં 611 ભારતીય ખલાસીઓ છે.
કતરથી LPG ગેસ લઈને ભારતીય જહાજ મુદ્રા પોર્ટ પહોંચ્યું.
અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડીને આપી ચેતવણી
અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ પૂર્વીય સાગર તરફ 10 મિસાઈલ છોડીને ચેતવણી જાહેર કરી. ઉત્તર કોરિયા લાંબા સમયથી આવા સંયુક્ત યુદ્ધ અભ્યાસને હુમલાની તૈયારી તરીકે ઓળખાવે છે. તેના બેકગ્રાઉન્ડમાં કિંમ જોંગ અને તેની બહેન કિમ યો જોંગએ તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, જો ઉત્તર કોરિયાની સુરક્ષાને પડકારવામાં આવશે તો તેના ભયંકર પરિણામો ભોગવવા પડશે.
અમેરિકા અને દક્ષિણ કોરિયાના યુદ્ધ અભ્યાસ વચ્ચે ઉત્તર કોરિયાએ મિસાઈલ છોડીને આપી ચેતવણી
રાજસ્થાનના યાત્રા સંઘ પાસેથી ASIએ કર્યો 20 હજારનો તોડ.
રાજકોટના ASI એ રાજસ્થાનના યાત્રા સંઘ પાસેથી 20 હજારનો તોડ કર્યો. આ યાત્રા કરવા જઈ રહેલા લોકો સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલું સાહેબના વતનના હતા. ત્યારબાદ સંઘમાંથી કોઈકે SP પ્રેમસુખ ડેલું સાહેબને જાણ કરી હતી. પછી SP સાહેબે સમગ્ર મામલે DCP જગદીશ બાંગરવાએ જાણ કરી ત્યારબાદ કાર્યવાહી થઈ.