આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે!
ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને વેપાર સંબંધોને નવી ગતિ આપવા માટે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવશે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે તેઓ પણ પ્રવાસની તૈયારીઓ અને લાંબા સમયથી પ્રસ્તાવિત ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા ભારત આવશે. આ મુલાકાતથી બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ અને ટેરિફ સંબંધિત કરારોને વેગ મળશે તેમજ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આવતા વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવશે!
અમેરિકા-ઈરાન તણાવ: બહેરીન પર ઈરાનના ભયંકર ડ્રોન હુમલા, મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં જહાજ પર હુમલા બાદ અમેરિકાના જવાબમાં ઈરાને બહેરીન પર જવાબી ડ્રોન હુમલા કર્યા છે. ઈરાનનો દાવો છે કે, તેણે બહેરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ ઘટનાક્રમ મધ્ય પૂર્વમાં પરિસ્થિતિને બેકાબૂ બનાવી શકે છે, અને તાજેતરની સંમતિ અને સીઝફાયર જોખમમાં મુકાઈ શકે છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા આત્મઘાતી ડ્રોન મોકલવામાં આવ્યા હતા. બહેરીને આ હુમલાની નિંદા કરી છે, જે અમેરિકી નૌસેનાના પાંચમા બેડાના મુખ્ય મથક પર અસર કરી શકે છે.
અમેરિકા-ઈરાન તણાવ: બહેરીન પર ઈરાનના ભયંકર ડ્રોન હુમલા, મધ્ય પૂર્વમાં યુદ્ધનો ખતરો
અફઘાનિસ્તાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા આંચકા
અફઘાનિસ્તાનના હિન્દુકુશ વિસ્તારમાં શનિવારે સાંજે 6.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. National Centre for Seismology અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 215 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ કારણે પાકિસ્તાન, ઉત્તર ભારત, ચીન અને મધ્ય એશિયાના અનેક દેશોમાં તેના આંચકા અનુભવાયા. દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા અને ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. હિન્દુકુશ ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર છે.
અફઘાનિસ્તાનમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCR સુધી અનુભવાયા આંચકા
પરીક્ષાના 24 કલાક પહેલા પેપર લીક!
મહારાષ્ટ્રમાં TET પરીક્ષાના 24 કલાક પહેલા પ્રશ્નપત્ર લીક થતાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું છે કે, જે સરકાર પરીક્ષાઓ પણ યોગ્ય રીતે કરાવી શકતી નથી, તેણે સત્તા છોડી દેવી જોઈએ. કોંગ્રેસે આ ઘટનાને વહીવટી નિષ્ફળતા ગણાવી છે. મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદે પરીક્ષા સ્થગિત કરવાની સત્તાવાર પુષ્ટિ કરી છે અને નવી તારીખોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ કૌભાંડમાં મોટા માથાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.
પરીક્ષાના 24 કલાક પહેલા પેપર લીક!
ખેડૂત છું, બાળપણથી ખેતી કરું છું: મંત્રી ભગીરથ ચૌધરીની સ્પષ્ટતા
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી ભગીરથ ચૌધરી કમર્શિયલ કાકડી ખેતી પ્રોજેક્ટ માટે પોતાના જ મંત્રાલય હેઠળની યોજનામાંથી ₹99.03 લાખની સબસિડી મેળવી વિવાદમાં આવ્યા છે. વિપક્ષે 'ભ્રષ્ટાચાર'નો આરોપ લગાવ્યો છે. મંત્રી ચૌધરીએ કહ્યું કે તેઓ બાળપણથી ખેડૂત છે અને 2018માં (મંત્રી બન્યા પહેલા) જ અરજી કરી હતી. તેમણે તમામ વિગતો જાહેર કરી છે અને કહ્યું કે દેશભરમાં હજારો ખેડૂતો આવી સબસિડી લે છે. તેઓ આ ફાર્મનો ઉપયોગ ખેડૂતોને ટ્રેનિંગ આપવા માટે કરે છે.
ખેડૂત છું, બાળપણથી ખેતી કરું છું: મંત્રી ભગીરથ ચૌધરીની સ્પષ્ટતા
પુતિનના વિશ્વસનીય 'સ્પાય' સર્વેઈ ઈવાનોવના મોત અંગે ઘેરાતા રહસ્યો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સંભવિત ઉત્તરાધિકારી અને પૂર્વ સંરક્ષણ મંત્રી સર્વેઈ ઈવાનોવના 73 વર્ષની વયે થયેલા અવસાનને લઈને રહસ્યો ઘેરાઈ રહ્યા છે. ક્રેમલિન (રશિયન રાષ્ટ્રપતિ ભવન) દ્વારા તેમના મૃત્યુનું ચોક્કસ કારણ જાહેર ન કરતા સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. 'સોવિયેત જેમ્સ બોન્ડ' તરીકે જાણીતા ઈવાનોવ, પુતિનના KGB સમયના ગાઢ મિત્ર હતા. પોતાની તીક્ષ્ણ બુદ્ધિ અને સખત નજર માટે પ્રખ્યાત, તેઓ 'The Matrix' ના Agent Smith જેવા દેખાતા હતા. તેમનું કરિયર પુતિન સાથેની દોસ્તીને કારણે ઝડપથી આગળ વધ્યું હતું.
પુતિનના વિશ્વસનીય 'સ્પાય' સર્વેઈ ઈવાનોવના મોત અંગે ઘેરાતા રહસ્યો
સુદાનમાં ગૃહયુદ્ધ બાદ માનવીય સંકટની સ્થિતિ
સુદાનમાં ગૃહયુદ્ધ વધુ ગંભીર બનતાં RSFએ અલ-ઓબેદ શહેરને ત્રણ બાજુથી ઘેરી લીધું છે, જ્યારે ડ્રોન હુમલામાં પાંચ ઓઈલ ટેન્ક ફાર્મ નષ્ટ થયા છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રે અહીં અલ-ફાશર જેવી નરસંહારની આશંકા વ્યક્ત કરી છે. 2023થી ચાલતા યુદ્ધમાં લાખો લોકોના મોત અને 1.4 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. અલ-ઓબેદ પર કબજો RSF માટે મોટી જીત બની શકે છે, જ્યારે માનવીય સંકટ વધુ વિકરાળ બનવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
સુદાનમાં ગૃહયુદ્ધ બાદ માનવીય સંકટની સ્થિતિ
પોતાનો જીવ આપી દીધો પણ દીકરીને આંચ ન આવવા દીધી!
વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપ દરમિયાન માતૃત્વનું હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે. ફૂટબોલર હેક્ટર બેલોની પત્ની એન્ડ્રિયાએ બિલ્ડિંગ ધરાશાયી થતાં પોતાની નાની દીકરીને બચાવવા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. ભૂકંપમાં અત્યાર સુધીમાં 920થી વધુ લોકોનાં મોત અને 3,000થી વધુ લોકો ઘાયલ થયા છે. અનેક ઇમારતો ધરાશાયી થઈ છે, જ્યારે રાહત ટીમો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે સતત કામગીરી કરી રહી છે.
પોતાનો જીવ આપી દીધો પણ દીકરીને આંચ ન આવવા દીધી!
હોર્મુઝ ખુલ્યા બાદ ઈરાન સસ્તુ ઓઈલ વેચે છે, તો પણ ભારત કેમ નથી ખરીદતું?
અમેરિકા-ઈરાન શાંતિ વાર્તા બાદ ઈરાની ક્રૂડ પરના પ્રતિબંધ હટ્યા છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પણ ખુલ્યું છે. આ કારણે ઈરાની ક્રૂડ સસ્તું થઈ ગયું છે અને વચેટિયાઓ ભારતીય રિફાઇનરીઓને પ્રતિ બેરલ 3-4 ડોલર સસ્તા ભાવે ઓફર કરી રહ્યા છે. જોકે, ભારતીય રિફાઇનરીઓની સંગ્રહ ક્ષમતા મર્યાદિત છે અને મોટાભાગનો પુરવઠો પહેલેથી જ સુરક્ષિત છે. વિવિધ દેશો સાથેના કરાર અને મોટા ક્રૂડ રિઝર્વને કારણે ભારત સસ્તું ઈરાની ક્રૂડ વધુ ખરીદી શકતું નથી.
હોર્મુઝ ખુલ્યા બાદ ઈરાન સસ્તુ ઓઈલ વેચે છે, તો પણ ભારત કેમ નથી ખરીદતું?
'હિંસાનો જવાબ હિંસાથી', અમેરિકાની ઈરાન પર એરસ્ટ્રાઈક બાદ જેડી વેન્સની ધમકી
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નજીક ઈરાન દ્વારા વ્યાપારી જહાજ પર ડ્રોન હુમલા બાદ અમેરિકાએ જવાબી સૈન્ય કાર્યવાહી કરી મિડલ ઈસ્ટમાં તણાવ વધાર્યો છે. યુએસ ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે ઈરાનને ચેતવણી આપી કે, "હિંસાનો જવાબ હિંસાથી જ આપવામાં આવશે." અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ મુજબ, ઈરાનના આ કૃત્યને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન ગણી અમેરિકી વાયુસેનાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનના પગલાને 'મૂર્ખામીભર્યું' ગણાવ્યું. ઈરાને વળતા પ્રહારનો દાવો કર્યો છે.
'હિંસાનો જવાબ હિંસાથી', અમેરિકાની ઈરાન પર એરસ્ટ્રાઈક બાદ જેડી વેન્સની ધમકી
કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
સુરતના ભીમપોરના સની પટેલનું કતારના ગેસ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં મોત થતાં તેમનો પાર્થિવ દેહ ભારતીય દૂતાવાસના સહયોગથી વતન લાવવામાં આવ્યો હતો. માત્ર સાત મહિના પહેલાં પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેઓ કતાર નોકરીએ ગયા હતા. વિસ્ફોટ બાદ શરૂઆતમાં ગુમ થયેલા સનીનો મૃતદેહ હોસ્પિટલમાંથી મળ્યો હતો. ભીમપોર ખાતે તેમના અંતિમ દર્શન અને અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા, જ્યારે પરિવારજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર શોકમગ્ન બન્યો હતો.
કતાર બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના સની પટેલની અંતિમ યાત્રામાં ઉમટી જનમેદની, સમગ્ર ભીમપોર બન્યું ગમગીન
ઇરાન યુદ્ધ ખતમ કર્યા બાદ ટ્રમ્પનું ધ્યાન 'કમાણી' પર
ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત થતાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન દેશોને ચેતવણી આપી છે કે અમેરિકન કંપનીઓ પર ડિજિટલ સર્વિસ ટેક્સ લગાવનાર દેશોના તમામ માલ પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદશે. ટ્રમ્પે અગાઉના વેપાર કરારો પણ રદ કરવાની ધમકી આપી છે. બીજી તરફ ફ્રાન્સે અમેરિકાના દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કર્યો છે અને અમેરિકન ટેક કંપનીઓ પર લાગુ 3 ટકા ડિજિટલ ટેક્સ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
ઇરાન યુદ્ધ ખતમ કર્યા બાદ ટ્રમ્પનું ધ્યાન 'કમાણી' પર
મહારાષ્ટ્ર TET પરીક્ષા પેપર લીક થતાં રદ, નવી તારીખની જાહેરાત ટૂંક સમયમાં
મહારાષ્ટ્રમાં TET પરીક્ષાનું પેપર લીક થતાં રાજ્ય વહીવટીતંત્રે એક મોટો નિર્ણય લીધો છે. 28 જૂન, 2026 ના રોજ યોજાનારી આ પ્રતિષ્ઠિત શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) પેપર લીક થવાની આશંકાને કારણે તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. ઠાણે વિસ્તારમાંથી પેપર લીક થયાની માહિતી મળતાં, પરીક્ષાની ગોપનીયતા અને પારદર્શિતા જાળવવા માટે વહીવટીતંત્રે આ કડક પગલું ભર્યું છે. આ નિર્ણયથી રાજ્યભરના લાખો ઉમેદવારોને મોટો આંચકો લાગ્યો છે, જેઓ આ પરીક્ષા માટે સખત તૈયારી કરી રહ્યા હતા. આ સમગ્ર મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે અને નવી પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
મહારાષ્ટ્ર TET પરીક્ષા પેપર લીક થતાં રદ, નવી તારીખની જાહેરાત ટૂંક સમયમાં
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
જૂન મહિનામાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 17,000 અને ચાંદી પ્રતિ કિલો રૂ. 51,000 સુધી સસ્તી થઈ છે. વૈશ્વિક બજારમાં પણ બંને કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા છે. ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ, અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારાના સંકેતો, પ્રોફિટ બુકિંગ અને રોકાણકારોનું શેરબજાર તરફ વળતર આ ઘટાડાના મુખ્ય કારણો માનવામાં આવી રહ્યા છે.
ચાંદીમાં 51000 તો સોનામાં 17000 રૂપિયાનો કડાકો
મુસ્લિમ ધર્મ અપનાવનાર અનામતના હકદાર નથી: મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો
મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે એક મહત્વપૂર્ણ કેસમાં ચુકાદો આપ્યો છે કે, જે વ્યક્તિ ઇસ્લામ ધર્મ અપનાવે છે તે માત્ર ‘મુસ્લિમ’ ગણાશે અને વિશેષ પછાત મુસ્લિમ સમુદાયના નામે અનામતનો લાભ મેળવી શકશે નહીં. હાઈકોર્ટે તામિલનાડુ સરકારના 2024 ના તે સરકારી આદેશને પણ રદ કર્યો છે, જેમાં ધર્મ પરિવર્તન કરનારાઓને Other Backward Classes (OBC Muslim) નો દરજ્જો આપવાની જોગવાઈ હતી. અદાલતે જણાવ્યું કે, 1951 થી સ્થાપિત કાનૂની સિદ્ધાંત મુજબ, ધર્મ પરિવર્તન કરનારનો સામાજિક દરજ્જો તેની જૂની જ્ઞાતિથી નક્કી થતો નથી.
મુસ્લિમ ધર્મ અપનાવનાર અનામતના હકદાર નથી: મદ્રાસ હાઈકોર્ટનો મોટો ચુકાદો
પ.બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC આવશે: શુભેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ટૂંક સમયમાં જ ધર્માંતરણ વિરોધી કડક કાયદો લાવવાની જાહેરાત કરી છે. આ સાથે, સમાન નાગરિક સંહિતા (UCC) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) પણ લાગુ કરવામાં આવશે. અધિકારીએ સરહદ પારથી થતી ઘૂસણખોરીને રાજ્યની વસ્તી અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવ્યો. બીજી તરફ, TMC સાંસદ મહુઆ મોઇત્રાએ આ પગલાંને કટોકટી સાથે સરખાવીને સરકાર પર વિપક્ષને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.
પ.બંગાળમાં ધર્માંતરણ વિરોધી કાયદો, UCC અને NRC આવશે: શુભેન્દુ અધિકારી
બાબા બાગેશ્વરનું મોટું નિવેદન: "રાવણથી પણ ખરાબ લોકો"
અયોધ્યા રામ મંદિરના દાન પાત્રમાંથી થયેલી કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતા અંગે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ આકરા પ્રતિક્રિયા આપ્યા છે. તેમણે આરોપીઓની સરખામણી રાવણ સાથે કરતા કહ્યું કે, રાવણે માતા જાનકીનું હરણ કર્યું હતું, જ્યારે આ લોકોએ શ્રદ્ધાળુઓની આસ્થા ચોરી છે. આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને BNS તથા ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. SIT ના રિપોર્ટ બાદ આ કાર્યવાહી થઈ છે. જોકે, કેટલાક લોકો નાના કર્મચારીઓ પર કાર્યવાહી કરી મોટા લોકોને બચાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
બાબા બાગેશ્વરનું મોટું નિવેદન: "રાવણથી પણ ખરાબ લોકો"
ઔદ્યોગિક એકમમાં મહિલાની માલિકી મામલે ગુજરાત દેશના ટોપ-10માં પણ નહીં!
ગુજરાતમાં વર્ષ 2025-26 દરમિયાન 8.43 લાખ MSME એકમો નોંધાયા, જેમાંથી 1.96 લાખ મહિલાઓની માલિકીના છે. છતાં મહિલાઓની માલિકી હેઠળના નવા ઉદ્યોગોમાં ગુજરાત દેશના ટોચના 10 રાજ્યોમાં સ્થાન મેળવી શક્યું નથી. તેલંગાણા અને મહારાષ્ટ્ર આ ક્ષેત્રમાં અગ્રેસર છે, જ્યારે બિહાર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ પણ ગુજરાતથી આગળ છે. નિષ્ણાતોના મતે લોન, જમીન, સુરક્ષા અને પરિવાર આધારિત ઉદ્યોગો પુરુષોના નામે નોંધાવવાના કારણે મહિલાઓ પાછળ રહી છે.
ઔદ્યોગિક એકમમાં મહિલાની માલિકી મામલે ગુજરાત દેશના ટોપ-10માં પણ નહીં!
ભારત ટેક્સી: મુસાફરો અને ચાલકો પર વધતું ભાડું અને ચાર્જનું ભારણ
ભારત ટેક્સી એપ, જે નાગરિકોને સસ્તી કેબ સેવા આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરાઈ હતી, તે હવે તેના દાવાઓ પર ખરી ઉતરતી નથી. અમદાવાદમાં તેના ભાડા ખાનગી કંપનીઓ કરતાં પણ વધુ હોવાનું જણાય છે. 'ઝિરો કમિશન'ના વાયદાઓ વચ્ચે, ટેક્સી ચાલકો પાસેથી ચાર્જ વસૂલવાનું શરૂ કરાયું છે, જે સરકારના 'સહકારી' અને 'સસ્તી' હોવાના દાવાને ખોટા પાડે છે. આ પરિસ્થિતિ મુસાફરો અને ચાલકો બંને માટે મુશ્કેલી ઊભી કરી રહી છે.
ભારત ટેક્સી: મુસાફરો અને ચાલકો પર વધતું ભાડું અને ચાર્જનું ભારણ
ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર
અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાટાઘાટો બાદ ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર વોશિંગ્ટનમાં હસ્તાક્ષર થયા છે. આ સમજૂતીને બંને દેશો વચ્ચે કાયમી શાંતિ સ્થાપવા તરફનું મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહનું નિઃશસ્ત્રીકરણ નહીં થાય, ત્યાં સુધી ઇઝરાયલી સેના દક્ષિણ લેબેનોનમાં રહેશે. આ કરાર લેબેનોનની સાર્વભૌમત્વ અને સુરક્ષા માટે પ્રથમ કદમ છે.
ઈઝરાયલ અને લેબેનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર
મુંબઈના ગુજરાતી બિઝનેસમેને સી લિંક પરથી દરિયામાં ઝંપલાવ્યું
મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પરથી ઝંપલાવીને 51 વર્ષીય ગુજરાતી બિઝનેસમેન ભાવેશ નવીનચંદ્ર મજીઠીયાએ આપઘાત કર્યો. પોલીસને નાણાકીય તણાવની શંકા છે. ટેક્સીમાં મુસાફરી દરમિયાન, તેમણે ઉબકા આવવાનું કહી વાહન રોકાવ્યું અને સી લિંક પરથી દરિયામાં કૂદી પડ્યા. ટેક્સી ડ્રાઇવર દ્વારા પોલીસને જાણ કરાતા, રેસ્ક્યૂ ટીમ અને પોલીસ દ્વારા બચાવ પ્રયાસો શરૂ કરાયા. દરિયાઈ પરિસ્થિતિને કારણે શોધ કાર્યમાં વિલંબ થયો, અંતે મૃતદેહ મળી આવ્યો. વર્લી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મૃત્યુનો અહેવાલ નોંધાયો.
મુંબઈના ગુજરાતી બિઝનેસમેને સી લિંક પરથી દરિયામાં ઝંપલાવ્યું
અમેરિકાનો ઈરાન પર મિસાઈલ-ડ્રોન સાઈટ્સ પર મોટો હુમલો!
અમેરિકાએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર કથિત ઈરાની હુમલાના જવાબમાં ઈરાનની મિસાઈલ અને ડ્રોન સાઈટ્સ પર મોટો હુમલો કર્યો છે. બંને દેશો વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ કરાર થયા બાદ આ પહેલીવાર છે કે જ્યારે અમેરિકાએ ઈરાન પર સીધો હુમલો કર્યો હોય. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વોશિંગ્ટન દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનની કાર્યવાહીનો જવાબ આપવાની તૈયારીના સંકેત આપ્યા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેરાત કરી કે ઈરાનની અંદર ઘૂસીને મિસાઈલ, ડ્રોન સ્ટોરેજ અને કોસ્ટલ રડાર સાઈટ્સને નિશાન બનાવવામાં આવ્યા છે.
અમેરિકાનો ઈરાન પર મિસાઈલ-ડ્રોન સાઈટ્સ પર મોટો હુમલો!
વેનેઝુએલામાં ફરી ધ્રુજી ધરતી, 4.9નો મોટો આફ્ટરશોક આવતા અફરા તફરી
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં આવેલા વિનાશકારી ભૂકંપે ભારે તબાહી મચાવી દીધી છે. શનિવારે સવારે વેનેઝુએલામાં ફરી એકવાર ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 માપવામાં આવી છે. વૈજ્ઞાનિકો આને મુખ્ય ભૂકંપ પછીના 'આફ્ટર શોક' તરીકે જોઈ રહ્યા છે. આ નવા ઝટકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
વેનેઝુએલામાં ફરી ધ્રુજી ધરતી, 4.9નો મોટો આફ્ટરશોક આવતા અફરા તફરી
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ: તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો
મધ્ય પૂર્વમાં ફરી તણાવ વધ્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વ્યાવસાયિક જહાજ પર ડ્રોન હુમલા બાદ અમેરિકાએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) મુજબ, ઈરાનના અનેક સૈન્ય ઠેકાણાઓ પર જવાબી હવાઈ હુમલા કરાયા છે. આ કાર્યવાહી વ્યાવસાયિક જહાજ પર થયેલા હુમલાના જવાબમાં છે. અમેરિકાએ ઈરાનના મિસાઈલ, ડ્રોન સંગ્રહ કેન્દ્રો અને રડાર સાઇટ્સને નિશાન બનાવ્યા. CENTCOM મુજબ, સિંગાપુરના ધ્વજવાળું જહાજ M/V Ever Lovely પર થયેલો હુમલો અયોગ્ય અને યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન હતું.
ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ: તેહરાનમાં અમેરિકાનો મોટો હુમલો
અમિત શાહ ગાંધીનગરમાં 'ભારત ટેક્ષી' લોન્ચ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27 અને 28 જૂને તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે અને મહત્વપૂર્ણ બેઠકો યોજશે. 27 જૂને સવારે 11 વાગ્યે મહાત્મા મંદિરમાં ભારતની પ્રથમ ડ્રાઇવર-માલિકીની સહકારી ટેક્સી સેવા "ભારત ટેક્ષી"નો શુભારંભ કરશે. ત્યારબાદ DISHA બેઠક અને અમદાવાદમાં 'હરિયાળી લોકસભા' અભિયાનની સમીક્ષા કરશે. સાંજે રાણીપમાં લોકદરબાર યોજાશે. 28 જૂને બુથ પ્રમુખો સાથે ચિંતન શિબિર યોજાશે અને અંતે 'PM Family Care Tracker'નું લોકાર્પણ કરશે.
અમિત શાહ ગાંધીનગરમાં 'ભારત ટેક્ષી' લોન્ચ કરશે
બંગાળમાં UCC લાગુ થશે, લવ જિહાદ, ધર્માંતરણ અને ઘૂસણખોરો પર કાર્યવાહી: શુભેન્દુ અધિકારી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે લેન્ડ જિહાદ, લવ જિહાદ અને બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કડક કાયદા લાવવામાં આવશે. ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરી સંસ્કૃતિ કે સુરક્ષા વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં સામેલ ઘૂસણખોરોને ઓળખી દેશનિકાલ કરાશે. આ જાહેરાત તેમણે 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવા પર કોલકાતામાં આયોજિત કાર્યક્રમમાં કરી.
બંગાળમાં UCC લાગુ થશે, લવ જિહાદ, ધર્માંતરણ અને ઘૂસણખોરો પર કાર્યવાહી: શુભેન્દુ અધિકારી
કેતન અગ્રવાલ મર્ડર કેસ: સિયાના હાવભાવ અને પિતાના પ્રશ્નોએ શંકાને ઘેરી બનાવી
પુણેના કેતન અગ્રવાલ મર્ડર કેસમાં, ઘટના સમયે સિયા ગોયલના બદલાયેલા હાવભાવ અને પરિવારના સવાલોના જવાબ ન આપવાને કારણે વિશાલ અગ્રવાલની શંકા ઘેરી બની. જ્યારે મહિલા પોલીસકર્મીએ કહ્યું કે કેતન જીવતો છે, ત્યારે સિયાની પ્રતિક્રિયા શંકાસ્પદ હતી. આ ઘટનાક્રમ અને CCTV ફૂટેજની તપાસ બાદ પરિવારે પોલીસને જાણ કરી. સિયા પર તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી સાથે મળીને મંગેતરની હત્યા કરવાનો આરોપ છે. બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ ચાલુ છે.
કેતન અગ્રવાલ મર્ડર કેસ: સિયાના હાવભાવ અને પિતાના પ્રશ્નોએ શંકાને ઘેરી બનાવી
બેટરી રિસાયક્લિંગના નવા નિયમોથી ઇલેક્ટ્રિક કાર પાંચ ટકા સુધી મોંઘી થશે
વાહન ઉત્પાદકોના સંગઠન સિયામે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જણાવ્યું છે કે હાલના બેટરી રિસાયક્લિંગ નિયમોના કારણે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં 3થી 5 ટકા વધારો થઈ શકે છે, જે ઈવી વેચાણને અસર કરશે. સિયામના જણાવ્યા મુજબ, લિથિયમ આયર્ન ફોસ્ફેટ બેટરીનું આયુષ્ય લાંબું હોવાથી વર્તમાન રિસાયક્લિંગ લક્ષ્યો વ્યવહારુ નથી. સંસ્થાએ નિયમોમાં સરળતા લાવવાની માંગ સાથે જણાવ્યું કે હાલના નિયમોથી ઉત્પાદકો પર વધારાનો આર્થિક બોજ પડશે.
બેટરી રિસાયક્લિંગના નવા નિયમોથી ઇલેક્ટ્રિક કાર પાંચ ટકા સુધી મોંઘી થશે
વાઈબ્રન્ટ ગુજરાત: રૂ. 2101 કરોડના 730 MoU, ઊર્જા મંત્રી અને રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય કાર્યક્રમ.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે 730 એમ.ઓ.યુ. (MoUs) થયા, જે દ્વારા રૂ. 2101.66 કરોડનું સંભવિત રોકાણ આવશે અને 6941 રોજગારી સર્જાશે. 'વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026'માં ડ્રોન ટેકનોલોજી, રોબોટિક્સ, મશીન લર્નિંગ જેવા વિષયો આવરી લેવાયા છે. એમ.એસ.એમ.ઈ. (MSME) સેક્ટર માટે 50-75% સબસિડીની જોગવાઈ છે. અમદાવાદની મજબૂત ઇન્ડસ્ટ્રિયલ ઇકોસિસ્ટમ અને ઇન્વેસ્ટમેન્ટ ઝોનની સિદ્ધિઓ રજૂ કરાઈ. આત્મનિર્ભર અને વાજપાઈ બેન્કેબલ યોજનાના લાભાર્થીઓને સેંક્શન લેટર તથા સબસિડી વિતરણ કરાયું.
વાઈબ્રન્ટ ગુજરાત: રૂ. 2101 કરોડના 730 MoU, ઊર્જા મંત્રી અને રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય કાર્યક્રમ.
ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરીને કેસ જીતી!
બ્રિટનની એક કોર્ટમાં Robot Advocate તરીકે ગારફીલ્ડ AI ચેટબોટે એક માનવ વકીલને હરાવી દીધો. તેની ધારદાર દલીલોને કારણે કોર્ટે AI ચેટબોટના ક્લાયન્ટના પક્ષમાં 7000 પાઉન્ડનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો. આ ઘટના AI દ્વારા કાયદાકીય ક્ષેત્રે પહેલી વખત બની છે. AI પાવર્ડ લૉ ફર્મ ગારફીલ્ડે ક્લાયન્ટનો કેસ AI એજન્ટને લડવા આપ્યો હતો, જેણે દસ્તાવેજો તૈયાર કર્યા, સાક્ષીઓના નિવેદનો નોંધ્યા અને એવી દલીલો કરી કે માનવ વકીલ માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું.
ગારફીલ્ડ AI ચેટબોટે કોર્ટમાં દલીલો કરીને કેસ જીતી!
વૈશ્વિક બજારોમાં બોલી ગયેલો કડાકો જાપાનનો નિક્કી ૩૦૦૫ પોઈન્ટ ગબડયો
અમેરિકા-ઈરાન શાંતિ કરાર બાદ ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થતાં ગોલ્ડમેન સાક્સે ભારતના કેલેન્ડર વર્ષ 2026ના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.8 ટકા કર્યો છે. મજબૂત સ્થાનિક અર્થવ્યવસ્થા અને ઘટતા તેલના ભાવથી ભારતના આર્થિક જોખમોમાં ઘટાડો થયો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. સાથે જ રિટેલ ફુગાવાનો અંદાજ 5.1 ટકાથી ઘટાડીને 4.9 ટકા કરવામાં આવ્યો છે, જેનાથી અર્થતંત્રને વધુ સ્થિરતા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.