પુતિને યુક્રેનનો શાંતિ પ્રસ્તાવ ઠુકરાવી હુમલા તેજ કરવાની ચેતવણી આપી
પુતિને યુક્રેનનો શાંતિ પ્રસ્તાવ ઠુકરાવી હુમલા તેજ કરવાની ચેતવણી આપી
Published on: 04th July, 2026

યુક્રેનના હુમલાઓને કારણે રશિયાની ઓઈલ રિફાઈનરીઓ અને સપ્લાય સિસ્ટમ ખોરવાઈ ગઈ છે, જેથી રશિયાને ભારત સહિત અન્ય દેશો પાસેથી ઈંધણ ખરીદવું પડી રહ્યું છે. તેમ છતાં, રાષ્ટ્રપતિ પુતિન યુદ્ધવિરામના પ્રસ્તાવને નકારી કાઢી સ્પષ્ટ કર્યું છે કે રશિયાના લક્ષ્યાંકો પૂરા ન થાય ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. બીજી તરફ, કીવ પરના રશિયન હુમલામાં મૃત્યુઆંક 30 પર પહોંચ્યો છે. પુતિન દાવો કરે છે કે યુક્રેન ઊર્જા પ્લાન્ટ્સ પર હુમલા કરીને ધ્યાન ભટકાવવા માંગે છે, જ્યારે વૈશ્વિક વિશ્લેષકો રશિયન સેનાની ગતિ ધીમી પડી હોવાનું માને છે.