PoKમાં ફરી ભડક્યો રોષ: સેનાના ગોળીબારમાં 9 આંદોલનકારીઓના મોત
PoKમાં ફરી ભડક્યો રોષ: સેનાના ગોળીબારમાં 9 આંદોલનકારીઓના મોત
Published on: 28th July, 2026

પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીર (PoK)ના રાવલકોટમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા કરાયેલા કથિત ગોળીબારમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને ઇન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો તેમની વિવિધ માંગણીઓ, જેમાં અનામત બેઠકોની નાબૂદી, રાજકીય પ્રતિનિધિત્વ, મુક્તિ અને આર્થિક સુધારાનો સમાવેશ થાય છે, તેને લઈને જૂન મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલન દરમિયાન અનેક વખત હિંસક અથડામણો થઈ ચૂકી છે.