સાઉદી અરબ સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત
સાઉદી અરબ સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત
Published on: 10th August, 2026

સાઉદી અરબના રિયાધમાં એક સોફા ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 16 બાંગ્લાદેશી શ્રમિકોના દુઃખદ મોત થયા છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. રવિવારે બપોરે લાગેલી આ આગે સમગ્ર ફેક્ટરીને પોતાની લપેટમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં જ રિયાધ સ્થિત બાંગ્લાદેશી દૂતાવાસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સાઉદી અધિકારીઓ સાથે મળી મૃતદેહોને સ્વદેશ મોકલવાની કાર્યવાહી કરી રહ્યા છે.