પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના 30થી વધુ આતંકીઓ "અજ્ઞાત" હુમલાખોરોનો શિકાર
પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના 30થી વધુ આતંકીઓ "અજ્ઞાત" હુમલાખોરોનો શિકાર
Published on: 04th August, 2026

પાકિસ્તાનમાં સ્થિત લશ્કર-એ-તૈયબા (LeT) સાથે જોડાયેલા એક ઓપરેટિવે જાહેર કર્યું છે કે છેલ્લા 3-4 વર્ષમાં તેમના 30 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. LeT ઓપરેટિવ રિઝવાન હનીફે દાવો કર્યો છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ "અજ્ઞાત હુમલાખોર મોડેલ" અપનાવીને પાકિસ્તાનના વિવિધ શહેરોમાં આતંકીઓનો સફાયો કર્યો છે. પેશાવર, કરાચી, રાવલપિંડી જેવા મુખ્ય શહેરોમાં આતંકીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ સતત હુમલાઓને કારણે PoKમાં પણ આતંકીઓ સુરક્ષિત નથી. LeT દ્વારા આટલી મોટી સંખ્યામાં આતંકીઓના મોતની આ પ્રથમ જાહેર કબૂલાત છે.