અચાનક ગુમ થયું 240 મસાફરોથી ભરેલું જહાજ
અચાનક ગુમ થયું 240 મસાફરોથી ભરેલું જહાજ
Published on: 13th September, 2026

રવિવારે જાવા સમુદ્રમાં 'વર્ગો ટ્રાન્સપોર્ટ ૮' (Virgo Transport 8) નામનું ઇન્ડોનેશિયાઈ જહાજ ૨૪૦ લોકો સાથે ગુમ થઈ ગયું. સુરાબાયાથી બંજરમાસિન જઈ રહેલા આ જહાજનો સંપર્ક સવારે ખરાબ હવામાનને કારણે તૂટી ગયો હતો. સર્ચ એન્ડ રેસ્ક્યુ (SAR) વિભાગને ઘટનાની જાણ થયા બાદ તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી જહાજનો કોઈ પત્તો લાગ્યો નથી, પરંતુ જાનહાનિ અંગે કોઈ તાત્કાલિક અહેવાલ નથી. જહાજ શનિવારે રવાના થયું હતું.