વિશ્વ આરોગ્ય સંગઠન: દૂષિત ભોજનથી દર વર્ષે ૧૫ લાખથી વધુ લોકોના મોત, ચેતવણી
વિશ્વ આરોગ્ય સંગઠન: દૂષિત ભોજનથી દર વર્ષે ૧૫ લાખથી વધુ લોકોના મોત, ચેતવણી
Published on: 04th June, 2026

વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે પૂર્વે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ દૂષિત ખોરાકથી થતા મૃત્યુ અંગે ચિંતાજનક અહેવાલ બહાર પાડ્યો છે. 2000-2021 દરમિયાન 194 દેશોના ડેટા દર્શાવે છે કે દર વર્ષે 86.6 કરોડ લોકો બીમાર પડે છે અને 15 લાખથી વધુના મોત થાય છે, જેમાં 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં જોખમ ત્રણ ગણું છે. બેક્ટેરિયલ, વાયરલ અને પેરાસાઈટિક ઈન્ફેક્શન મુખ્ય કારણો છે, પરંતુ મોતનું મુખ્ય કારણ કેમિકલનો સંપર્ક છે.