ઓમાનના દરિયાકાંઠે ભારતીય  કોમર્શિયલ જહાજ પર હુમલો!
ઓમાનના દરિયાકાંઠે ભારતીય કોમર્શિયલ જહાજ પર હુમલો!
Published on: 12th July, 2026

ઓમાનના દરિયાકાંઠા નજીક 'GFS ગેલેક્સી' (GFS Galaxy) કોમર્શિયલ જહાજ પર થયેલા મોટા હુમલાની ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં સવાર 11 ભારતીયોમાંથી 10 નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે, જ્યારે એક હજુ પણ ગુમ છે. ભારતીય દૂતાવાસ ઓમાનના સત્તાધીશો સાથે સંપર્કમાં છે અને સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર વધી રહેલા હુમલાઓ અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે અને રાજદ્વારી ઉકેલની અપીલ કરી છે.