હિમાલયના પીગળતા બરફ ભારત માટે ખતરાંની ઘંટડી!
હિમાલયના પીગળતા બરફ ભારત માટે ખતરાંની ઘંટડી!
Published on: 16th September, 2026

આબોહવા પરિવર્તનની ગંભીર અસરો હવે સીધી આપણી આજીવિકા, આવક અને નોકરીઓ પર પડી રહી છે. તાજેતરના એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે હિમાલયના હિમનદીઓ (ગ્લેશિયર્સ) અત્યંત ખતરનાક ઝડપે પીગળી રહ્યા છે, જે ભારતની અર્થવ્યવસ્થા માટે પણ એક મોટી ચેતવણી સમાન છે. હિમાલયના ગ્લેશિયર્સ અગાઉના દાયકાની સરખામણીમાં ૬૫% વધુ ઝડપથી પીગળી રહ્યા છે, જે આગામી સમયમાં ગંભીર જળસંકટ ઊભું કરી શકે છે. આ સ્થિતિ લાખો લોકોની જાનમાલની સલામતી સામે મોટો ખતરો પેદા કરી રહી છે.