શ્રેયસ ઐયર અને વૈભવ સૂર્યવંશી પર રહેશે પ્રથમ T20 મેચમાં સૌની નજર
શ્રેયસ ઐયર અને વૈભવ સૂર્યવંશી પર રહેશે પ્રથમ T20 મેચમાં સૌની નજર
Published on: 23rd July, 2026

ત્રણ અઠવાડિયાથી હારી રહેલી ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે સામે નવી શરૂઆત કરવા હરારેમાં રમશે. આયરલેન્ડ અને ઇંગ્લેન્ડમાં છ T20 મેચ હાર્યા બાદ, યુવા ભારતીય ટીમ પાસે શ્રેણી જીતીને આત્મવિશ્વાસ પાછો મેળવવાનો પડકાર છે. 23 જુલાઈથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણીમાં કેપ્ટન શ્રેયસ ઐયર અને 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી પર સૌની નજર રહેશે. શ્રેયસ ઐયર માટે કેપ્ટનશીપ સંભાળ્યા પછીની પ્રથમ સાત T20 મેચોમાં છ હાર બાદ આ મેચ જીતવી મહત્વપૂર્ણ રહેશે.