IND vs AFG: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં મોટા બદલાવ, નીતિશ કુમાર રેડ્ડીની વાપસી નક્કી
IND vs AFG: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11 માં મોટા બદલાવ, નીતિશ કુમાર રેડ્ડીની વાપસી નક્કી
Published on: 19th June, 2026

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં પહેલી બે મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ અજેય લીડ મેળવી લીધી છે. ત્રીજી અને અંતિમ વનડે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોએશે જણાવ્યું કે નીતિશ કુમાર રેડ્ડી અનફિટનેસ બાદ પરત ફરી રહ્યા છે અને પ્લેઈંગ 11 માં સામેલ થશે. અર્શદીપ સિંહને આરામ આપી શકાય છે અને હર્ષિત રાણાને તક મળી શકે છે. ટોચના ત્રણ બેટ્સમેનોમાં કોઈ ફેરફાર નહીં થાય.