BCCI ટીમ ઈન્ડિયાની બગડતી ફિટનેસ ચિંતામાં
BCCI ટીમ ઈન્ડિયાની બગડતી ફિટનેસ ચિંતામાં
Published on: 09th August, 2026

ભારતીય ક્રિકેટ ટીમની ખરાબ ફિટનેસ અને ખેલાડીઓની સતત ઈજાઓ BCCI માટે ચિંતાનો વિષય બની છે. તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ પર પણ બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં BCCIના સચિવ દેવજિત સૈકિયા ખુદ બેંગ્લોર સ્થિત NCA (National Cricket Academy) પહોંચી રહ્યા છે. તેઓ સેન્ટર ઓફ એક્સીલેન્સ (CoE)ના અધિકારીઓ સાથે મુલાકાત કરી પરિસ્થિતિની સમીક્ષા કરશે. છેલ્લા દોઢ વર્ષમાં લગભગ 13 ખેલાડીઓ ઈજાથી પીડાઈ રહ્યા છે, જે મેડિકલ ટીમની પ્રક્રિયા પર પણ સવાલો ઉભા કરી રહ્યા છે. આ મામલે સિલેક્ટર અને કોચ સાથે પણ ચર્ચા થઈ શકે છે.