BCCI કરશે વૈભવ સૂર્યવંશીના મામલે દખલ નહીં, મેચ રેફરી જ લેશે નિર્ણય
BCCI કરશે વૈભવ સૂર્યવંશીના મામલે દખલ નહીં, મેચ રેફરી જ લેશે નિર્ણય
Published on: 18th June, 2026

BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું છે કે શ્રીલંકા Aના ખેલાડીને ધક્કો મારવાના મામલે વૈભવ સૂર્યવંશી પર થનારી કાર્યવાહી અંગેનો નિર્ણય મેચ રેફરી જ લેશે, BCCI તેમાં કોઈ દખલ નહીં કરે. આવી ઘટનાઓ રમતમાં બનતી રહે છે અને તેના માટે નિયત સિસ્ટમનું પાલન કરાશે. 15 જૂને દાંબુલામાં ટ્રાઈ સીરીઝની મેચ બાદ સુપર ઓવર સમયે થયેલી દલીલમાં વૈભવે શ્રીલંકાના વિશાન હલામ્બાગેને ધક્કો માર્યો હતો. મેચ રેફરીએ વૈભવ અને હલામ્બાગે પર મેચ ફીના 50-50% દંડની ભલામણ કરી છે.