જામનગરના બે વિસર્જન કુંડ ખાતે ગણેશજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન શરૂ.
જામનગરના બે વિસર્જન કુંડ ખાતે ગણેશજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન શરૂ.
Published on: 15th September, 2026

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે શહેરના બે સ્થળોએ તૈયાર કરાયેલા કૃત્રિમ વિસર્જન કુંડ ખાતે ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન શરૂ થયું છે. ભક્તો પૂજા-આરતી સાથે વિઘ્નહર્તાને વિદાય આપી રહ્યા છે. આ માટે એરપોર્ટ રોડ અને રણજીત સાગર રોડ પાસે વિશાળ કુંડ બનાવવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પાણી, લાઇટિંગ, પાર્કિંગ અને માર્ગદર્શન જેવી તમામ જરૂરી સુવિધાઓ ગોઠવવામાં આવી છે. આ કુંડ 50 મીટર લાંબા અને 20 મીટર પહોળા છે. નદી-તળાવને બદલે કુંડમાં જ વિસર્જન કરવા અપીલ કરાઈ છે.