રાંચરડાના સંકટમોચન હનુમાન મંદિરમાં નીમ કરોલી બાબાનો મહાસમાધિ દિવસ ઉજવાશે
રાંચરડાના સંકટમોચન હનુમાન મંદિરમાં નીમ કરોલી બાબાનો મહાસમાધિ દિવસ ઉજવાશે
Published on: 09th September, 2026

ઉત્તરાખંડના પ્રસિદ્ધ સંત નીમ કરોલી બાબાનો ‘મહાસમાધિ દિવસ’ તા. 11 સપ્ટેમ્બરના રોજ રાંચરડા ખાતેના શ્રી સંકટમોચન હનુમાન નીમ કરોલી બાબા મંદિરમાં ધામધૂમથી ઉજવાશે. આ નિમિત્તે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સવારે 8:00 વાગ્યે પુષ્પાંજલિ અને સાંજે 8:30 વાગ્યે 11 હનુમાન ચાલીસાના પાઠ થશે. સમગ્ર દિવસ દરમિયાન ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ છે. આ મંદિર વિશ્રામ અવસ્થામાં બિરાજમાન હનુમાનજીનું ચોથું દિવ્ય મંદિર છે.