મરાઠા અનામત માટે યુવકની આત્મહત્યા
મરાઠા અનામત માટે યુવકની આત્મહત્યા
Published on: 10th September, 2026

મહારાષ્ટ્રના લાતુરમાં મરાઠા અનામતના મુદ્દે યુવકના આપઘાત બાદ ગ્રામજનોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. સુનિલ વિનાયક બિરાજદાર નામના યુવકે મરાઠા અનામત માટે પોતાનું જીવન સમાપ્ત કર્યાનો દાવો સુસાઇડ નોટમાં કર્યો હતો. આ ઘટના બાદ પરિવારે અને ગ્રામજનોએ મૃતદેહ ઉદગીર-લાતુર રોડ પર રાખી રસ્તા રોકો આંદોલન કર્યું. તેમની મુખ્ય માંગણીઓમાં પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને મરાઠા સમુદાયને કુણબી જાતિ પ્રમાણપત્રો અંગે લેખિત નિર્ણયની હતી. આ વિરોધ પ્રદર્શન મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું.