Menu
Ayodhya: રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે
Ayodhya: રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા અભિજિત મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે
Published on: 05th June, 2025

અયોધ્યામાં પ્રભુ શ્રીરામ સહિત પરિવાર સાથે રામમંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ અભિજિત મુહૂર્તમાં કાશીના 101 વૈદિક આચાર્યો હાજર રહ્યા હતા. ત્યારે યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા. રામદરબારમાં ભગવાન રામ સાથે હનુમાન, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રસંગ ગંગા દશેરાના પવિત્ર અવસર પર થયો હતો, જે ભગવાન રામના જન્મ સમય સાથે સંબંધિત માન્યતાને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવ્યો હતો. અયોધ્યા રામનગરીમાં ઉત્સવનો માહોલ છે અને પૂજા-અર્ચના સાથે વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે.