ગરૂડેશ્વર ખાતે શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતિથિનો ભવ્ય મહોત્સવ સંપન્ન
ગરૂડેશ્વર ખાતે શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની પુણ્યતિથિનો ભવ્ય મહોત્સવ સંપન્ન
Published on: 17th July, 2026

નર્મદા કિનારે આવેલા ગરૂડેશ્વર ખાતે દત્ત સંપ્રદાયના મહાન સંત શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનો આરાધના મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પવિત્ર અવસરે મહારાજશ્રીની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. આ આધ્યાત્મિક મહોત્સવમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સમગ્ર મંદિર પરિસર 'દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા' ના નાદથી ગુંજી ઉઠ્યું. શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ નારેશ્વરના અવધૂત મહારાજના ગુરુ હતા.