હાલોલના તરખંડા ગામથી પ્રથમવાર રણુજા જવા માટે ભવ્ય પગપાળા સંઘનું પ્રસ્થાન
હાલોલના તરખંડા ગામથી પ્રથમવાર રણુજા જવા માટે ભવ્ય પગપાળા સંઘનું પ્રસ્થાન
Published on: 27th August, 2026

હાલોલ તાલુકાના તરખંડા ગામેથી પ્રથમવાર પૂજ્ય રામદેવપીરના ધામ રણુજા (રામદેવરા) જવા માટે ભવ્ય પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું છે. યાત્રાના પ્રસ્થાન પૂર્વે ગામમાં ભગવાન રામદેવપીરની વિશેષ પૂજા-અર્ચના અને આરતી કરાઈ હતી. ત્યારબાદ જય બાબારી અને રામાપીર કી જયના ગગનભેદી નારાઓ સાથે પદયાત્રીઓ રણુજા જવા રવાના થયા હતા. યાત્રા સંઘમાં ગામના અબાલ-વૃદ્ધ સૌ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. આયોજક ગોપાલભાઈ ચાવડા અનુસાર, પદયાત્રીઓ 900 કિ.મી.નું અંતર કાપીને 16માં દિવસે રામદેવરા પહોંચશે.