સાળંગપુરધામમાં શેષનારાયણ જયંતિએ દાદાનો ભવ્ય શણગાર અને સુંદરકાંડ પાઠ યોજાયા.
સાળંગપુરધામમાં શેષનારાયણ જયંતિએ દાદાનો ભવ્ય શણગાર અને સુંદરકાંડ પાઠ યોજાયા.
Published on: 27th May, 2026

બોટાદના સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવ મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિત્તે શેષનારાયણ જયંતીની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ. દાદાને દિવ્ય વાઘા, સિંહાસને શેષનારાયણનો શણગાર અને કેરીનો અન્નકૂટ ધરાવાયો. મંગળા આરતી 05:30 અને શણગાર આરતી 7 વાગ્યે પૂજારી સ્વામી દ્વારા કરાઈ. દિવસમાં બે વખત રાજપોચોપર પૂજન થયું. મંદિર પરિસરમાં સંગીતમય સુંદરકાંડના પાઠ પણ યોજાયા, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.