Menu
અયોધ્યા: રામલલ્લાને 14 કિલો ચાંદી અને સોનામાંથી બનેલો ધનુષબાણ ભેટમાં મળ્યા
અયોધ્યા: રામલલ્લાને 14 કિલો ચાંદી અને સોનામાંથી બનેલો ધનુષબાણ ભેટમાં મળ્યા
Published on: 04th June, 2025

અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ પૂરું થઇ ગયુ છે અને રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. હૈદરાબાદના રામભાગી શ્રીનિવાસે રામલલ્લાને 14 કિલો ચાંદી અને 250 ગ્રામ સોનાથી બનેલો ભવ્ય ધનુષબાણ ભેટમાં આપી પોતાની ભક્તિ વ્યક્ત કરી છે. તેમની આ ભેટ માત્ર ભૌતિક નહીં, પણ આધ્યાત્મિક ભાવના અને પિતાના સપનાનું પૂરણ છે. અગાઉ તેઓએ 8 કિલો ચાંદીની ઇંટ અને સોન્ચાંદીની ચરણપાદુકા પણ રામલલ્લાને સમર્પિત કરી હતી. આભક્તિ સમગ્ર રામભક્તો માટે પ્રેરણાસ્રોત બની છે.