શિક્ષકોને ભણાવવાનું કે સરકારી કાર્યક્રમોની ભીડ વધારવાનું?
શિક્ષકોને ભણાવવાનું કે સરકારી કાર્યક્રમોની ભીડ વધારવાનું?
Published on: 13th August, 2026

સુરત શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને હવે વર્ગખંડ છોડી સરકારી કાર્યક્રમોમાં દોડાવવામાં આવી રહ્યા છે. બાળકોને ચોપડી આપવાને બદલે શિક્ષકોને પરિપત્રો મળી રહ્યા છે. તાજેતરમાં, 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રામાં શિક્ષકોની ફરજિયાત હાજરી અંગે પરિપત્ર બહાર પડ્યો છે. પરિપત્ર મુજબ, શિક્ષકો, જ્ઞાનસહાયકો અને ઉપશિક્ષકોએ સાંજે 5 વાગ્યે ડુમસ રોડ ખાતે હાજર રહી નોડલ પાસે હાજરી પુરાવવી પડશે. વરસાદી વાતાવરણ વચ્ચે પણ આ સૂચનાથી શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી છે. આ પહેલા પણ BLO, વસ્તી ગણતરી, સર્વે જેવી બિન-શૈક્ષણિક જવાબદારીઓમાં શિક્ષકોનો સમય વપરાયો છે.