પાંચ પાલિકાઓમાં પ્રમુખોની તાજપોશી: વિવાદ ટાળવા મેન્ડેટ ખોલાશે.
પાંચ પાલિકાઓમાં પ્રમુખોની તાજપોશી: વિવાદ ટાળવા મેન્ડેટ ખોલાશે.
Published on: 19th May, 2026

ભરૂચ અને નર્મદા જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનની જાહેરાત થશે. ચાર પાલિકાઓમાં ભાજપ જ્યારે આમોદમાં કોંગ્રેસનું શાસન આવશે. પ્રમુખપદ માટે ભાજપમાં ટાંટીયાખેંચી ચાલી રહી છે, અસંતોષ ટાળવા સભામાં મેન્ડેટ ખોલવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ૨૦ દિવસ પછી આ નિર્ણય લેવાશે. ભરૂચમાં પ્રમુખપદ આદિવાસી માટે અનામત છે. અંકલેશ્વરમાં OBC સામાન્ય બેઠક માટે દાવેદારી છે. રાજપીપળામાં મહિલા (સામાન્ય) બેઠક પર શિવાની મહેતા અને ભાવના પટેલ ચર્ચામાં છે.