SCO શિખર સંમેલન પહેલાં PM મોદીનો ભારતનો રોડમેપ
SCO શિખર સંમેલન પહેલાં PM મોદીનો ભારતનો રોડમેપ
Published on: 29th August, 2026

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શિખર સંમેલન માટે કિરગિઝ ગણરાજ્યની રાજધાની બિશ્કેકની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, PM મોદીએ વિસ્તારમાંથી આંતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા પર ભાર મૂક્યો છે. તેઓ ઉઝબેકિસ્તાન અને કિરગિઝ ગણરાજ્યના પ્રવાસે રહેશે, જ્યાં તેઓ દ્વિપક્ષીય સંબંધો, વેપાર, રોકાણ, ડિજિટલ કનેક્ટિવિટી, સંરક્ષણ અને ઊર્જા સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. SCO શિખર સંમેલનમાં ભારતની વિચારસરણી સુરક્ષા, કનેક્ટિવિટી અને તકો પર આધારિત રહેશે.