મછલી ભોજ વિવાદ: અજય રાય દ્વારા CM યોગી સામે માનહાનિનો કેસ
મછલી ભોજ વિવાદ: અજય રાય દ્વારા CM યોગી સામે માનહાનિનો કેસ
Published on: 01st September, 2026

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 'મછલી ભોજ' (માછલીની મિજબાની) અંગેનો રાજકીય વિવાદ હવે કોર્ટ સુધી પહોંચ્યો છે. યુપી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે માનહાનિનો દાવો કરવા લખનૌ સિવિલ કોર્ટમાં અરજી કરી છે. રાયે આરોપ લગાવ્યો છે કે, CM યોગીએ એક જનસભામાં તેમના પર ખોટો આરોપ લગાવ્યો હતો કે, તેમણે પવિત્ર શ્રાવણ માસમાં અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા બાદ માછલીની મિજબાની માણી હતી. રાયે સ્પષ્ટ કર્યું કે તેઓ ચુસ્ત શાકાહારી છે અને કાર્યક્રમમાં માછલી ખાધી નહોતી.