અમદાવાદ ભાજપમાં દિગ્ગજોની ટિકિટ કપાઈ, મેયર અને ડેપ્યુટી મેયર સહિત નેતાઓ ઘરભેગા થયા.
અમદાવાદ ભાજપમાં દિગ્ગજોની ટિકિટ કપાઈ, મેયર અને ડેપ્યુટી મેયર સહિત નેતાઓ ઘરભેગા થયા.
Published on: 11th April, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 'No Repeat Theory' અપનાવી મેયર સહિતના દિગ્ગજોને પડતા મૂક્યા. શાહીબાગમાં મેયર પ્રતિભા જૈનને બદલે માયા જૈનને તક મળી. ડેપ્યુટી મેયર જતીન પટેલની પણ ટિકિટ કપાઈ, જ્યારે અન્ય વોર્ડમાં પણ ફેરફારો થયા. ટિકિટ વહેંચણી બાદ ઘણા વોર્ડમાં આંતરિક વિરોધ જોવા મળ્યો છે. જૂના કાર્યકરો નવા ઉમેદવારોથી નારાજ છે, જેને શાંત પાડવા ભાજપ માટે એક મોટો પડકાર છે.