આદિમજૂથોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મહત્ત્વનો વહીવટી સુધારો
ગુજરાતના આદિમજૂથોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકારે મહત્ત્વનો વહીવટી સુધારો કર્યો છે. ‘મુખ્યમંત્રી આદિમજૂથ સર્વાંગી ઉત્કર્ષ યોજના’ હેઠળ વિકાસ કાર્યોનું આયોજન, મંજૂરી, મોનિટરિંગ અને અમલીકરણ વધુ ઝડપી, પારદર્શક બનાવવા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં આદિજાતિ વિકાસ વિભાગના વર્ગ-1ના અધિકારીઓને સીધી જવાબદારી સોંપાઈ છે. આ ફેરફારથી ખાસ કરીને બિન-આદિજાતિ વિસ્તારોમાં વસતા પઢાર અને સીદી સમુદાયના પરિવારો સુધી સરકારી યોજનાઓ વધુ અસરકારક રીતે પહોંચાડવાનો માર્ગ સરળ બન્યો છે.
આદિમજૂથોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારનો મહત્ત્વનો વહીવટી સુધારો
2029ની લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનના ચહેરાને લઈને કોંગ્રેસે આપ્યો જવાબ
કોંગ્રેસના મહાસચિવ કે. સી. વેણુગોપાલે સ્પષ્ટ કર્યું છે કે 2029ની લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનનું નેતૃત્વ રાહુલ ગાંધી કરશે. તેમણે તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની અટકળોને ફગાવી દીધી. રાહુલ ગાંધી દેશના લોકપ્રિય નેતા છે અને ગઠબંધન તેમની આગેવાની હેઠળ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. વેણુગોપાલે કેન્દ્ર સરકાર પર દેશને અંધકાર યુગ તરફ ધકેલવાનો આરોપ પણ લગાવ્યો.
2029ની લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનના ચહેરાને લઈને કોંગ્રેસે આપ્યો જવાબ
બોડેલી APMC હાટ બજારમાં નાના વેપારીઓ પાસેથી ₹50 ફી વસૂલાત સામે જનરોષ
છોટા ઉદેપુરના બોડેલી APMC હાટ બજારમાં ગરીબ મહિલાઓ અને નાના વેપારીઓ પાસેથી ₹50 ફી વસૂલવામાં આવતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે, ત્યારે રોજગારી મેળવવા આવતી નિર્ધાર મહિલાઓ પાસેથી આ ફી લેવી યોગ્ય નથી. આ મહિલાઓ અઠવાડિયાની મહેનત બાદ વસ્તુઓ વેચવા આવે છે, ત્યારે તેમની પાસેથી પણ ફી લેવાતા સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે. APMCની કરોડોની આવક છતાં ગરીબો પાસેથી વસૂલાત કેમ? લોકોએ જિલ્લા રજિસ્ટ્રાર પાસે તાત્કાલિક તપાસની માંગ કરી છે.
બોડેલી APMC હાટ બજારમાં નાના વેપારીઓ પાસેથી ₹50 ફી વસૂલાત સામે જનરોષ
અમદાવાદ ડિવિઝને માલ લોડિંગમાં નવો વિક્રમી રેકોર્ડ સ્થાપ્યો
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને માલ પરિવહન ક્ષેત્રે નવો ઓલ-ટાઈમ દૈનિક લોડિંગ રેકોર્ડ બનાવ્યો છે. 5 સપ્ટેમ્બર, 2026ના રોજ, એક જ દિવસમાં 85 રેક એટલે કે 3,580 વેગનનું લોડિંગ કરાયું, જે અગાઉના 80 રેક અને 3,525 વેગનના રેકોર્ડ કરતાં વધારે છે. આ સિદ્ધિમાં ડબલ-સ્ટેક કન્ટેનર રેક અને ખાતરના 17 રેકનું લોડિંગ સામેલ છે, જેનાથી રેલ પરિવહન ક્ષમતાનો કાર્યક્ષમ ઉપયોગ થયો અને કૃષિ ક્ષેત્ર માટે સમયસર પુરવઠો સુનિશ્ચિત થયો. DRM વેદ પ્રકાશે આ સિદ્ધિ બદલ ટીમને અભિનંદન પાઠવ્યા.
અમદાવાદ ડિવિઝને માલ લોડિંગમાં નવો વિક્રમી રેકોર્ડ સ્થાપ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2022થી ગુમ ત્રણ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા જુલાઈ 2022 થી ગુમ થયેલા ત્રણ સગીર બાળકોને ગોધરા નજીકથી મુક્ત કરાવવામાં આવ્યા છે. આ બાળકોનું અપહરણ કરી, તેમને માત્ર 10 હજાર રૂપિયામાં વેચીને પશુપાલન અને મજૂરીકામ કરાવવામાં આવતું હતું. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી દિનેશ ઓડ અને ભરત ભરવાડને ઝડપી પાડ્યા છે. મુક્ત કરાયેલા બાળકોમાં એક સોલા વિસ્તારનો, એક વડોદરાનો અને એક સ્થાનિક ગામનો છે. બાળકોને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2022થી ગુમ ત્રણ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા
અમદાવાદમાં ગાંધીગ્રામ સ્ટેશને ખુલશે બીજું રેલ કોચ રેસ્ટોરન્ટ
અમદાવાદમાં મુસાફરો માટે એક રોમાંચક અનુભવ ઉમેરાવા જઈ રહ્યો છે. આંબલી રોડ રેલવે સ્ટેશન પર સફળતા બાદ, હવે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પર બીજું રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ થવાની તૈયારીમાં છે. જૂના રેલવે કોચને આધુનિક રીતે સજાવીને તૈયાર કરાયેલ આ રેસ્ટોરન્ટમાં લોકોને ટ્રેનમાં જમવાનો અનોખો અનુભવ મળશે. દિવાળી સુધીમાં શરૂ થનાર આ રેસ્ટોરન્ટમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન વાનગીઓ સહિત વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે. બાળકો માટે ફન ઝોન અને સેલ્ફી પોઈન્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
અમદાવાદમાં ગાંધીગ્રામ સ્ટેશને ખુલશે બીજું રેલ કોચ રેસ્ટોરન્ટ
ગુજરાતના સિનિયર એડવોકેટ હરીન રાવલને દિલ્હીમાં દીપાંકર ગુપ્તા નેશનલ એવોર્ડ મળ્યો
ગુજરાતના જાણીતા વરિષ્ઠ એડવોકેટ હરીન પ્રવિણકાંત રાવલને દિલ્હીમાં કેપિટલ ફાઉન્ડેશન સોસાયટી દ્વારા ‘સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા દીપાંકર ગુપ્તા નેશનલ એવોર્ડ’થી સન્માનિત કરાયા. કાયદાકીય ક્ષેત્રે તેમની ઉત્કૃષ્ટ ક્ષમતા અને યોગદાન બદલ આ એવોર્ડ ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંજીવ ખન્નાના હસ્તે એનાયત કરાયો. એડવોકેટ રાવલ કાયદાકીય પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારની ત્રીજી પેઢીના વકીલ છે અને તેમણે 2G સ્પેક્ટ્રમ કેસ જેવા અનેક મહત્ત્વપૂર્ણ કેસોમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કર્યું છે.
ગુજરાતના સિનિયર એડવોકેટ હરીન રાવલને દિલ્હીમાં દીપાંકર ગુપ્તા નેશનલ એવોર્ડ મળ્યો
સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના પર કેજરીવાલ અને કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર
દિલ્હીના સત્ય નિકેતન વિસ્તારમાં બહુમાળી ઇમારત ધરાશાયી થતાં ભારે ચકચાર મચી છે. અરવિંદ કેજરીવાલએ તંત્રની બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓની સુરક્ષા અને અમાનવીય સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક સારવારની માંગ કરી. કોંગ્રેસે ન્યાયિક તપાસ અને MCD તથા દિલ્હી સરકારને જવાબદાર ઠેરવવાની માંગ કરી છે. પ્રિયંકા ગાંધી વાડ્રા અને મલ્લિકાર્જુન ખરગેએ પણ ઘટના પર દુઃખ વ્યક્ત કરી બચાવ કામગીરી ઝડપી બનાવવા અપીલ કરી.
સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટના પર કેજરીવાલ અને કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહાર
ગુજરાતમાં નકલી ‘Levera 500’ અને BP દવાનું કૌભાંડ
ગુજરાતમાં નકલી દવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મગજની ખેંચ (વાઈ/આંચકી) ની સારવારમાં વપરાતી ‘Levera 500’ અને બ્લડ પ્રેશરની દવાની નકલ કરીને ડુપ્લિકેટ દવા બનાવવામાં આવી રહી હતી. ઉત્તર પ્રદેશના લખનઉમાં ફરિયાદ નોંધાતા આ નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલ ક્યોરપેથ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પણ તપાસ હેઠળ છે. ‘કેર ફાર્મસી’ના બ્રિજેશ પટેલ સંડોવાયેલા હોવાનું જણાય છે, જ્યાં ઊંચા ડિસ્કાઉન્ટ આપી નકલી દવા વેચાતી હતી.
ગુજરાતમાં નકલી ‘Levera 500’ અને BP દવાનું કૌભાંડ
દ્વારકામાં જન્માષ્ટમી ભીડનો લાભ લેતા 15 ચોર!
દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લઈને ચોરી અને ચિલઝડપ કરતી બે અલગ-અલગ ગેંગના 15 સાગરીતોને જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા સાગરીતો પાસેથી 71,310 રૂપિયાની રોકડ અને 1,15,500 રૂપિયાના 14 મોબાઈલ ફોન મળી કુલ 1,86,810 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ આરોપીઓ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાંથી આવ્યા હતા.
દ્વારકામાં જન્માષ્ટમી ભીડનો લાભ લેતા 15 ચોર!
કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક
અમદાવાદના ચાંદખેડામાં ગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. CCTV ફૂટેજમાં કિંજલ સ્વેચ્છાએ કારમાં બેસતી જોવા મળતાં આ ઘટના પૂર્વઆયોજિત હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. કિંજલે એક વીડિયો જાહેર કરી જણાવ્યું કે, તેણે મે, 2024માં અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા હતા. પરિવારના વિરોધને કારણે તેને પિયરમાં પરાણે રાખવામાં આવી હતી અને ત્યાં તેના જીવને જોખમ હતું. તેથી, તે પોતાની મરજીથી પતિ પાસે પરત આવી ગઈ છે અને તે સુરક્ષિત છે.
કિંજલ રબારી અપહરણ કેસમાં નવો વળાંક
કચ્છના માંડવીના રાજડામાં 18 ઊંટના મોતનું કારણ PM રિપોર્ટથી થયું સ્પષ્ટ
કચ્છના માંડવીના રાજડા ગામમાં એક સાથે 18 ઊંટના મોતનો ભેદ PM રિપોર્ટ બાદ ઉકેલાયો છે. PM રિપોર્ટ અનુસાર, લેન્ટેના (Lantana) નામની ઝેરી વનસ્પતિ ખાવાથી આ તમામ ઊંટોના મોત નીપજ્યા છે. પશુ પાલકો જ્યારે આ ઊંટોને ચરાવવા લઈ ગયા હતા, ત્યારે તેમણે અજાણતામાં આ ઝેરી વનસ્પતિનું સેવન કર્યું હતું, જેના કારણે તેમની તબિયત લથડી અને મૃત્યુ થયું. લેન્ટેના એક અત્યંત ઝેરી છોડ છે, જે પશુઓ માટે ખૂબ જ હાનિકારક સાબિત થયો છે. આ ઘટનાથી પશુ પાલકોમાં ચિંતા અને ભયનો માહોલ છે.
કચ્છના માંડવીના રાજડામાં 18 ઊંટના મોતનું કારણ PM રિપોર્ટથી થયું સ્પષ્ટ
વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર સુરતમાં સેવા અને ડિસ્કાઉન્ટની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુરતમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે. 17 સપ્ટેમ્બરે, 7600થી વધુ ગણેશ પંડાળ અને મંદિરોમાં તેમના દીર્ઘાયુ માટે સામૂહિક મહાઆરતી યોજાશે, જેમાં લાખો લોકો જોડાશે. આ સાથે, 2400થી વધુ વેપારીઓ અને સંસ્થાઓ, જેમાં હોસ્પિટલો, મેડિકલ સ્ટોર્સ, રેસ્ટોરન્ટ્સ, ગારમેન્ટ્સ અને શાકભાજી વિક્રેતાઓનો સમાવેશ થાય છે, તેઓ 5% થી 76% સુધીના વિવિધ ડિસ્કાઉન્ટ જાહેર કરશે. આ ઓફરનો લાભ ત્રણ લાખથી વધુ લોકો લેશે તેવી અપેક્ષા છે, જે સેવા અને ખરીદીનો અનોખો સંગમ દર્શાવે છે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર સુરતમાં સેવા અને ડિસ્કાઉન્ટની ભેટ
દીપડી કૂવામાં ખાબકતા વન વિભાગે કર્યું રેસ્ક્યુ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ગુંડિયા મૂળ ગામે રહેણાંક વિસ્તારમાં એક દીપડી અચાનક કૂવામાં ખાબકી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ધરમપુરના પંગારબારી વન વિભાગની રેસ્ક્યુ ટીમ જરૂરી સાધન-સામગ્રી સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ, દોઢથી બે વર્ષિય દીપડીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું. વન વિભાગે દીપડીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું અને રિપોર્ટ બાદ તેને જંગલમાં સુરક્ષિત રીતે છોડી દેવાશે.
દીપડી કૂવામાં ખાબકતા વન વિભાગે કર્યું રેસ્ક્યુ
બાઇક ધીમું ચલાવવા કહેતાં ચાર સામે મારામારીનો ગુનો નોંધાયો
વડોદરાના પદમલા ગામમાં બાઇક ધીમું ચલાવવા કહેવા મામલે થયેલી મારામારીમાં છાણી પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરિયાદી વિજય ચુનારાએ પોલીસને જણાવ્યું કે, તેના પાડોશીના ઘરે આવેલા વ્યક્તિને બાઇક ધીમું ચલાવવા કહેતાં પાડોશી અશોક માળી અને તેના પરિવારજનોએ ઝઘડો કર્યો હતો. આ દરમિયાન, લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને વિજયની પત્નીને ધક્કો મારી સામાન્ય ઇજા પહોંચાડવામાં આવી હતી.
બાઇક ધીમું ચલાવવા કહેતાં ચાર સામે મારામારીનો ગુનો નોંધાયો
છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં બેડ, સ્વચ્છતાના અભાવે દર્દીઓની હાલત દયનીય
છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં દર્દીઓને મૂળભૂત સુવિધાઓનો અભાવ નડી રહ્યો છે, જેના કારણે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પૂરતા બેડ ન હોવાથી કેટલાક દર્દીઓને જમીન પર સારવાર લેવી પડે છે. હોસ્પિટલમાં અસ્વચ્છતાનું સામ્રાજ્ય છે, જેનાથી ચેપ ફેલાવાની ભીતિ રહે છે. પીવાના શુદ્ધ પાણી માટે પણ દર્દીઓને વલખા મારવા પડે છે. ડોક્ટરો અને તબીબી સ્ટાફની અછતને કારણે સારવારમાં વિલંબ થાય છે. સામાજિક આગેવાન અર્જુન પ્રોફેસરે સ્થિતિની સમીક્ષા કરી, સુવિધાઓ ન મળ્યે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં બેડ, સ્વચ્છતાના અભાવે દર્દીઓની હાલત દયનીય
વડોદરામાં મેડિકલ ઈક્વિપમેન્ટ ખરીદીના બહાને ₹3.13 લાખની ઠગાઈ
વડોદરા સ્થિત એક મેડિકલ ઈક્વિપમેન્ટ કંપનીને અમદાવાદની મિલ્ટ્રી હોસ્પિટલના નામે બોગસ પરચેઝ ઓર્ડર આપી ₹3.13 લાખની ઠગાઈ કરવામાં આવી છે. અજાણ્યા ઠગોએ વેન્ડર રજિસ્ટ્રેશનના બહાને આ રકમ પડાવી લીધી હતી. કંપની સંચાલિકા પાયલબેન ઠક્કરે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હોસ્પિટલ તરફથી આવો કોઈ ઓર્ડર આપવામાં આવ્યો ન હતો, જેના પગલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં મેડિકલ ઈક્વિપમેન્ટ ખરીદીના બહાને ₹3.13 લાખની ઠગાઈ
નાગરવાડા મટકીફોડ કાર્યક્રમમાં સફાઈ મુદ્દે મારામારી
વડોદરાના નાગરવાડામાં મટકીફોડ કાર્યક્રમ દરમિયાન સફાઈ મુદ્દે થયેલા ઝઘડામાં મારામારી થઈ હતી. આ મામલે કારેલીબાગ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. જયેશ મકવાણાએ ફરિયાદ કરી કે કંચન પરમાર અને તેમના પરિવારજનોએ સફાઈ મુદ્દે ઝઘડો કરી માર માર્યો હતો, જેમાં તેમની પત્નીની સોનાની ચેઈન તૂટી ગઈ. બીજી તરફ, અશોક રોહિતે જણાવ્યું કે જયેશ મકવાણા અને તેમના પરિવારજનોએ વચ્ચે પડતા માર માર્યો અને હથિયાર વડે હુમલો કર્યો, જેમાં તેમના પુત્રને પણ ઈજા થઈ.
નાગરવાડા મટકીફોડ કાર્યક્રમમાં સફાઈ મુદ્દે મારામારી
ગુજરાતના અછતગ્રસ્ત 4 જિલ્લાના પશુપાલકોને રાહત દરે અપાશે ઘાસ
ગુજરાતના પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે સર્જાયેલી અછતની સ્થિતિને પહોંચી વળવા સરકારે પશુપાલકો માટે રાહત દરે ઘાસ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. 1થી 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 2 રૂપિયા પ્રતિ કિલોના ભાવે સરકારી ઘાસ મળશે. આ ઉપરાંત, 'જી રામ જી' યોજના હેઠળ રોજગારી પૂરી પાડવામાં આવશે અને પીવાના પાણીની સમસ્યા નિવારવા માટે પણ પગલાં લેવાયા છે. ચોમાસા બાદ પાક નુકસાનીનો સર્વે કરાવી ખેડૂતોને વળતર અપાશે.
ગુજરાતના અછતગ્રસ્ત 4 જિલ્લાના પશુપાલકોને રાહત દરે અપાશે ઘાસ
વલસાડના પારડીના કોલક ગામમાં જમીનના નામે છેતરપિંડી
પારડી તાલુકાના કોલક ગામમાં એક દુકાનદાર અને તેની માતા સાથે રૂ. 12.44 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. આરોપી, વિમલ સુમનભાઈ પટેલ, પોતાની માલિકીનો ન હોવા છતાં એક પ્લોટ વેચાણ કરાર કરી દસ્તાવેજ કરી આપવાનું કહી આ રકમ મેળવી હતી. જ્યારે દસ્તાવેજ ન મળતાં તપાસ કરતાં પ્લોટ બીજાના નામે નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું. નાણાં પરત માંગતા આરોપીએ ધમકી આપી હતી, જેના પગલે પારડી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વલસાડના પારડીના કોલક ગામમાં જમીનના નામે છેતરપિંડી
સુરતના વરાછામાં 'ફિટ ઈન્ડિયા'નો જુસ્સો
સુરતના વરાછામાં 'ફિટ ઇન્ડિયા-સન્ડે ઓન સાયકલિંગ'ના 89મા આયોજનમાં હજારો યુવાનો અને નાગરિકો જોડાયા. સ્વસ્થ શરીર, સ્વચ્છ વિચારો અને વ્યસનમુક્ત યુવાધનના સંકલ્પ સાથે આ સાયક્લોથોન યોજાઈ હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી પ્રારંભ કરાવ્યો. આ આયોજન દ્વારા 'નશા મુક્ત યુવા, વિકસિત ભારત'નો સંદેશ આપવામાં આવ્યો. રમતગમત ક્ષેત્રની અનેક હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થઈ હતી.
સુરતના વરાછામાં 'ફિટ ઈન્ડિયા'નો જુસ્સો
અંજારમાં ગુમ થયેલા વ્યક્તિનો મૃતદેહ બે ટુકડામાં તળાવમાંથી મળ્યો
કચ્છના અંજારમાં એક ચોંકાવનારી ઘટનામાં, 43 વર્ષીય લખ્ખુ હુંબલ નામના ગુમ થયેલા વ્યક્તિનો મૃતદેહ બે ટુકડામાં પ્લાસ્ટિકના કોથળામાં ભરી તળાવમાં ફેંકી દેવાયેલો મળી આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અંજાર પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના માથા પર ગંભીર ઈજાના નિશાન પ્રાથમિક તપાસમાં જણાયા છે, જે હત્યા બાદ પુરાવા છુપાવવાનો પ્રયાસ સૂચવે છે.
અંજારમાં ગુમ થયેલા વ્યક્તિનો મૃતદેહ બે ટુકડામાં તળાવમાંથી મળ્યો
કોનું પત્તું કપાશે અને કોને મળશે પ્રમોશન?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સાંજે મંત્રી પરિષદની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં મંત્રીઓના કામકાજ અને પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે, જેમાં સંભવિત કેબિનેટ ફેરબદલની અટકળોને વેગ મળ્યો છે. ખાસ કરીને સામાજિક ન્યાય અને જાહેર કલ્યાણ સંબંધિત વિભાગોના રાજ્ય મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. શિક્ષણ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, અને કૃષિ મંત્રાલયોની યોજનાઓના અમલીકરણ અને મંત્રીઓની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.
કોનું પત્તું કપાશે અને કોને મળશે પ્રમોશન?
અમદાવાદમાં GPSC વહીવટી અધિકારી વર્ગ-2ની પરીક્ષા યોજાઈ
અમદાવાદમાં GPSC દ્વારા વહીવટી અધિકારી વર્ગ-2ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ. એમ.જી. સાયન્સ કૉલેજ સહિત 25 કેન્દ્રો પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. જનરલ નોલેજ બાદ, 6 સપ્ટેમ્બરે લેવાયેલા સંબંધિત વિષયના પેપરમાં ઉમેદવારોએ પ્રશ્નો લાંબા અને તાર્કિક હોવાનું જણાવ્યું. ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અને કરન્ટ અફેર્સ પર વધુ ભાર હતો. પરીક્ષામાં મેરિટમાં આવનારને રાજ્યની મહાનગરપાલિકાઓ સહિતના વિભાગોમાં નિમણૂક મળશે.
અમદાવાદમાં GPSC વહીવટી અધિકારી વર્ગ-2ની પરીક્ષા યોજાઈ
વિશ્વના નવા નકશાને ભારતનો ટેકો, કાશ્મીર-લદાખ મુદ્દે UNGAને કડક ચેતવણી
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ વિશ્વના ખંડોના સાચા ક્ષેત્રફળ દર્શાવતા નવા નકશાના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેનો ભારતે ટેકો આપ્યો છે. પરંતુ, ભારતે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદાખ સહિતના ભારતના સાર્વભૌમ ક્ષેત્રોનું નિરૂપણ દેશના સત્તાવાર નકશા મુજબ જ થવું જોઈએ. 16મી સદીના 'Mercator' નકશામાં ઉત્તરીય ગોળાર્ધના દેશો મોટા અને આફ્રિકા-દક્ષિણ એશિયા નાના દેખાતા હતા. આફ્રિકાની આગેવાની હેઠળના આ પ્રસ્તાવનો હેતુ 'Equal Earth Projection' જેવા સંતુલિત નકશાઓના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
વિશ્વના નવા નકશાને ભારતનો ટેકો, કાશ્મીર-લદાખ મુદ્દે UNGAને કડક ચેતવણી
જામનગરના મોટી ગોપ નજીક રિક્ષા પલટી
જામનગર નજીક મોટી ગોપ ડુંગર પરથી ઉતરતી વખતે બેફિકરાઈ અને ગફલતભરી રીતે ચલાવેલી CNG રિક્ષા પલટી ખાતાં તેમાં સવાર 65 વર્ષીય ખીમજીભાઈ મનજીભાઈ ચૌહાણનું માથાના ભાગે ગંભીર ઈજા થતાં લાલપુર સરકારી હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા. આ અકસ્માતમાં ફરિયાદીના પતિ સુનિલભાઈ અને ભાઈ દિલીપભાઈને પણ ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસે રિક્ષા ચાલક અમરશીભાઈ મંગાભાઈ સાગઠીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના મોટી ગોપ નજીક રિક્ષા પલટી
જામનગરમાં ઓવરટેકની નજીવી બાબતે બોલાચાલી બાદ ડ્રાઇવર પર હુમલો
જામનગર નજીક નવાગામ-નંબર 9 વિસ્તારમાં રહેતા રાણસીભાઈ હાથીયા (21)એ ક્રેટા કાર ચાલક અર્જુનસિંહ વિરુદ્ધ મારામારી અને સોનાની ચેન ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી છે. ઘટના તા. 5 સપ્ટેમ્બરના રોજ બની હતી જ્યારે રાણસીભાઈ પોતાની બોલેરો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. રોડ પર એક ટ્રક આગળ હોવાથી તેમણે ક્રેટા કારને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. આ બાબતે ક્રેટા ચાલકે બોલાચાલી કરી અને બાદમાં સિક્કા પાટીયા પાસે કાર રોકાવી રાણસીભાઈને ધક્કો મારી માર માર્યો. મારામારી દરમિયાન તેમની ગળામાં પહેરેલી આશરે રૂ. 80,000ની સોનાની ચેન પણ તૂટીને પડી ગઈ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જામનગરમાં ઓવરટેકની નજીવી બાબતે બોલાચાલી બાદ ડ્રાઇવર પર હુમલો
જામનગરમાં લોન અપાવવાના બહાને રૂ.1.50 કરોડના સાયબર ફ્રોડ
જામનગરમાં લોન અપાવવાના બહાને ત્રણ વ્યક્તિઓના દસ્તાવેજો, સહી કરેલા ફોર્મ અને મોબાઇલ સિમકાર્ડ મેળવી તેમની જાણ બહાર કર્ણાટક બેંકમાં ખાતા ખોલાવી, અંદાજે રૂ.1,50,98,000ના સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરવામાં આવી. ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ તથા તેમના ભાઈ અને ભાભીએ લોન માટે દસ્તાવેજો આપ્યા હતા. ત્યારબાદ બેંક કર્મચારી અને અન્ય શખ્સોએ આયોજનપૂર્વક દસ્તાવેજોનો દુરુપયોગ કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
જામનગરમાં લોન અપાવવાના બહાને રૂ.1.50 કરોડના સાયબર ફ્રોડ
વૃદ્ધને હની ટ્રેપ અને ડ્રગ્સ કેસમાં ફસાવી 15 લાખ માંગ્યા
વડોદરામાં એક 66 વર્ષીય વૃદ્ધને મહિલા સાથે લિફ્ટ આપતી વખતે હની ટ્રેપ અને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 3.5 લાખ રૂપિયા પડાવી લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આરોપીઓએ વૃદ્ધને પોલીસની ઓળખ આપી, અપશબ્દો બોલી, લાફા મારી, અને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. આ કેસમાં અમિત મશરૂ, શીતલબેન, રાહુલ પરમાર સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વૃદ્ધને હની ટ્રેપ અને ડ્રગ્સ કેસમાં ફસાવી 15 લાખ માંગ્યા
ધોળકામાં 'ઓમ જ્વેલર્સ'ના પિતા-પુત્ર સામે કરોડોની છેતરપિંડીનો ગુનો
ધોળકામાં 'ઓમ જ્વેલર્સ'ના માલિક પિતા-પુત્રએ સોના-ચાંદીમાં ભારે નફાની લાલચ આપી રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મુખ્ય આરોપી અમિતકુમાર સોની અને તેના પુત્ર પાર્થ સોનીએ મળીને 113 કિલો ચાંદી, જેની કિંમત 1.24 કરોડ રૂપિયાથી વધુ થાય છે, તેનું રોકાણ કરાવી વિશ્વાસઘાત કર્યો હતો. ધોળકા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી અમિત સોનીને ઝડપી લીધો છે અને રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ અન્ય ભોગ બનનારાઓને પણ સંપર્ક કરવા અપીલ કરી રહી છે.
ધોળકામાં 'ઓમ જ્વેલર્સ'ના પિતા-પુત્ર સામે કરોડોની છેતરપિંડીનો ગુનો
અમદાવાદના બાવળા હાઇવે નજીક ઝાડીઓમાંથી મળી નવજાત બાળકી
અમદાવાદના બાવળા હાઇવે પર બાવળની ઝાડીઓમાં ત્યજી દેવાયેલી એક નવજાત બાળકી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોની સતર્કતા અને 108 એમ્બ્યુલન્સની સમયસર પહોંચેલી ટીમ દ્વારા બાળકીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી. ત્યારબાદ, બાળકીને વધુ સારવાર માટે બાવળા હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તેની તબિયત સ્થિર છે. પોલીસે બાળકીને તરછોડનાર અજ્ઞાત માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.