જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ, સંભલ મસ્જિદ: સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ, સંભલ મસ્જિદ: સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!
Published on: 13th July, 2026

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ અને સંભલ જામા મસ્જિદ વિવાદોમાં હિન્દુ તથા મુસ્લિમ પક્ષોએ સુપ્રીમ કોર્ટના પરસ્પર સહમતિથી ઉકેલ લાવવાના પ્રસ્તાવને નકારી દીધો છે. બંને પક્ષોનો દાવો છે કે આ કેસોનો નિર્ણય કાનૂની આધાર પર અદાલતમાં જ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે "સમાધાન સમારોહ-2026" હેઠળ મધ્યસ્થતાનો પ્રસ્તાવ આપ્યો હતો, પરંતુ પક્ષકારોએ તેમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો છે. તેઓ માને છે કે આવા સંવેદનશીલ કેસોનો ચુકાદો લોક અદાલત કે મધ્યસ્થતા દ્વારા નહીં, પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા જ થવો જોઈએ.