આણંદ: આંકલાવ કોંગ્રેસમાં ભંગાણ, દિગ્ગજ નેતા સહિત 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા.
આણંદ: આંકલાવ કોંગ્રેસમાં ભંગાણ, દિગ્ગજ નેતા સહિત 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા.
Published on: 06th April, 2026

આણંદના આંકલાવમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું, 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા APMC ડિરેક્ટર નગીનભાઈ સોલંકી 200થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા. નગીનભાઈ પક્ષની આંતરિક ખેંચતાણથી નારાજ હતા. ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે તેમના જોડાવાથી સંગઠન મજબૂત થશે. આ ઘટનાથી આંકલાવ કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો છે.