કોંગ્રેસની હાર માટે ટિકિટોની સોદાબાજી અને ડેમેજ કંટ્રોલમાં બેદરકારી જવાબદાર.
કોંગ્રેસની હાર માટે ટિકિટોની સોદાબાજી અને ડેમેજ કંટ્રોલમાં બેદરકારી જવાબદાર.
Published on: 29th April, 2026

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય પાછળ આંતરિક જૂથબંધી, ટિકિટોની કથિત સોદાબાજી અને નબળું આયોજન મુખ્ય કારણો મનાય છે. પ્રદેશ નેતાગીરી ડેમેજ કંટ્રોલ કરવામાં અને સમયસર મેન્ડેટ પહોંચાડવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે ૭૦૦ જેટલી બેઠકો ભાજપને બિનહરીફ મળી ગઈ હતી. કાર્યકરોમાં ઉત્સાહનો અભાવ, પ્રચાર સામગ્રીની અછત અને સંકલનની ખામીને લીધે સત્તા વિરોધી લહેર હોવા છતાં કોંગ્રેસ તેને મતમાં ફેરવી શકી નથી. હવે પક્ષ આ પરાજયનું વિગતવાર વિશ્લેષણ કરશે.