અમદાવાદના સુભાષબ્રિજમાં 7 કરોડ બચાવવાની સૂચના છતાં સ્ટેન્ડિંગ કમિટીએ 241 કરોડ મંજૂર કર્યા
અમદાવાદના સુભાષબ્રિજમાં 7 કરોડ બચાવવાની સૂચના છતાં સ્ટેન્ડિંગ કમિટીએ 241 કરોડ મંજૂર કર્યા
Published on: 13th August, 2026

અમદાવાદમાં સુભાષ બ્રિજના બાંધકામ ખર્ચમાં રૂ. 7 થી 7.5 કરોડ સુધીનો ઘટાડો કરવા રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને સૂચના આપી હતી. તેમ છતાં, સ્ટેન્ડિંગ કમિટીએ કોઈ ઘટાડા વગર રૂ. 241 કરોડની દરખાસ્ત મંજૂર કરી દીધી છે. આ નિર્ણયને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ જૂના સ્પાન બદલવાને બદલે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવવધારાની જોગવાઈને કારણે બ્રિજનો ખર્ચ રૂ. 250 કરોડને વટાવી શકે છે.