Menu
India Pakistan War: સંવેદનશીલ પ્રદેશ હોવાને કારણે શ્રીનગર એરપોર્ટની સેવાઓ મંગળવારથી શરૂ થશે
India Pakistan War: સંવેદનશીલ પ્રદેશ હોવાને કારણે શ્રીનગર એરપોર્ટની સેવાઓ મંગળવારથી શરૂ થશે
Published on: 12th May, 2025

ભારત-પાકિસ્તાન તણાવને કારણે થોડા એરપોર્ટ સુરક્ષાની દ્રષ્ટિએ બંધ રાખવામાં આવ્યા હતા, જેમાં શ્રીનગર એરપોર્ટ પણ સામેલ છે. આ પ્રતિબંધ 15 મે 2025 સુધીનો હતો, પરંતુ હવે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ પ્રતિબંધ હટાવી દીધો છે. અન્ય 32 એરપોર્ટો આજથી નાગરિક ઉડાન માટે ખોલાયા છે, પરંતુ શ્રીનગર એરપોર્ટ મંગળવારથી ફક્ત કાર્યરત થશે કારણકે તે સંવેદનશીલ પ્રદેશમાં આવેલું છે અને ત્યાં તાજેતરમાં ઓપરેશન્સ ચાલી રહ્યા છે. પાકિસ્તાને આ એરપોર્ટ પર ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે સુરક્ષા માટે આ નિર્ણય લેવા પડયો.