આસામમાં પૂર પીડિતોની સેવા કરવા માટે પહોંચ્યો રણદીપ હુડ્ડા
આસામમાં પૂર પીડિતોની સેવા કરવા માટે પહોંચ્યો રણદીપ હુડ્ડા
Published on: 02nd August, 2026

અસમમાં ભીષણ પૂરના કારણે સ્થિતિ ગંભીર બની છે, જેમાં મૃત્યુઆંક વધીને 82 પર પહોંચ્યો છે અને હજારો લોકો બેઘર બન્યા છે. આવી વિકટ પરિસ્થિતિમાં બોલિવૂડ અભિનેતા રણદીપ હુડ્ડા શિવસાગર પહોંચીને પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા હતા. તેમણે રેલવે સ્ટેશન પર લંગર સેવા શરૂ કરી જરૂરિયાતમંદોને ભોજન અને રાહત સામગ્રીનું વિતરણ કર્યું. રણદીપ હુડ્ડાએ આ પ્રસંગે માનવતા અને સેવા ભાવનાનો સંદેશ આપતાં સંકટ સમયે એકબીજાની મદદ કરવા અપીલ કરી.