વારાણસી એરપોર્ટ પર મુસાફરની પિસ્તોલમાંથી અકસ્માતે ગોળીબાર
વારાણસી એરપોર્ટ પર મુસાફરની પિસ્તોલમાંથી અકસ્માતે ગોળીબાર
Published on: 17th August, 2026

વારાણસી એરપોર્ટ પર સુરક્ષા ચકાસણી દરમિયાન એક પેસેન્જરની લાઇસેન્સવાળી પિસ્તોલમાંથી અકસ્માતે ગોળીબાર થયો હતો. આ ઘટનામાં બે સુરક્ષાકર્મીઓ, સુમન કુમારી અને રોહિત રાજ, ઘાયલ થયા હતા. મુસાફર, કમલેશ કેદારનાથ રાઇ, પોતાની ૭.૬૨ એમએમ પિસ્તોલ અને ૨૧ કારતુસ સાથે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મુંબઇ જઇ રહ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, પિસ્તોલની મેગઝિન બહાર આવી ગયા બાદ પણ ચેમ્બરમાં રહેલો એક રાઉન્ડ ફાયર થયો હતો. મુસાફર સામે BNS કલમ ૧૨૫ હેઠળ FIR દાખલ કરી અટકાયત કરાઈ છે.